બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Married Man Kills Girlfriend At Naigaon Home, Dumps Body In Gujarat

વાપીમાં ચકચાર / લિવ ઈન પાર્ટનરની લાશવાળી સુટકેસ વાપીમાં ફેંકતું કપલ ઝડપાયું, છોકરીના મર્ડરનું ખુલ્યું રહસ્ય

Hiralal

Last Updated: 08:12 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પાલઘરમાં યુવાને તેની પત્ની સાથે મળીને લિવ ઈન પાર્ટનરની હત્યા કરીને તેની લાશ સુટકેસમાં પેક કરીને ગુજરાતના વાપીમાં ફેંકી દીધી હતી.

  • મહારાષ્ટ્રના પાલઘરમાં યુવાને લીધો લિવ ઈન પાર્ટનરનો જીવ
  • મેકઅપ આર્ટિસ્ટની હત્યા કરીને લાશ ભરેલી સુટકેસમાં વાપીમાં ફેંકી
  • રેપની ખોટી ફરીયાદ પર ઉશ્કેરાયો યુવાન 

મહારાષ્ટ્રના પાલઘરમાં 28 વર્ષીય લિવ ઈન પાર્ટનરની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. 43 વર્ષીય એક વ્યક્તિની તેના 28 વર્ષીય લિવ-ઇન પાર્ટનરની હત્યા કરવા, તેની લાશને સુટકેસમાં ભરીને ગુજરાતના વાપીમાં ફેંકી દેવાના આરોપસર અહીં ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પત્નીએ પણ પતિને ગર્લફ્રેન્ડની લાશ ઠેકાણે પાડવામાં સાથ આપ્યો હતો તેથી તેને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાઈ છે. મહિલાની લાશ હજુ સુધી મળી નથી. આ ઘટના 9 થી 12 ઓગસ્ટની વચ્ચે બની હતી. 

કોણ છે મૃતક નૈના 
પોલીસે મૃતકની ઓળખ નૈના મહાત તરીકે કરી હતી, જે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતી મેક-અપ આર્ટિસ્ટ-હેરડ્રેસર હતી. આરોપીની ઓળખ કોસ્ચ્યુમ ડિઝાઇનર મનોહર શુક્લા તરીકે થઈ છે. નૈનાની મોટી બહેન જયા મહાતની ફરિયાદના આધારે મનોહર શુક્લા સામે હત્યા અને પુરાવાના નાશના આરોપસર કેસ નોંધીને તેની ધરપકડ કરાઈ હતી. 

કેમ કરી હત્યા 
નૈના અને મનોહર શુક્લા વચ્ચે પ્રેમસંબંધ હતો બન્ને લિવ ઈનમાં રહેતા હતા. મનોહર પરણેલો હતો અને તેની પત્નીને પણ આ વાતની ખબર હતી. બધુ બરોબર ચાલતું હતું પરંતુ નૈના દ્વારા લગ્નનું દબાણ કરવામાં આવતાં બાજી બગડી અને તે તેના મોતનું કારણ બન્યું. મનોહરને લગ્ન કરવા નહોતા તેણે તેની સાથે ખાલી ફિઝિકલ રિલેશન જ રાખવા હતા. પરંતુ નૈના સ્પસ્ટ હતી કે મનોહરે તેની સાથે લગ્ન કરવા જ પડશે, પરંતુ નૈનાને છેલ્લે ખબર પડી કે હવે મનોહર તેની સાથે લગ્ન નથી જ કરવાનો આથી તેણે તેની સામે દુષ્કર્મનો ખોટો કેસ દાખલ કરાવ્યો બસ આ જ વાત મનોહર ઉશ્કેરાઈ ગયો અને તેણે નૈનાની હત્યા કરીને છૂટવાનો પ્રયાસ કર્યો પરંતુ છૂટી ન શક્યો. 

પત્નીએ લાશ ઠેકાણે પાડવામાં પતિને કરી મદદ
આ કેસમાં મનોહરની પત્નીએ તેને નૈનાની લાશ ઠેકાણે પાડવામા મદદ કરી હતી. બન્નેએ એક સુટકેસમાં પેક કરીને લાશ ગુજરાતના વાપીમાં ફેંકી આવ્યાં હતા. જોકે હજુ લાશ મળી નથી. 

કેવી રીતે બહાર આવ્યો મામલો 
નૈનાની મોટી બહેન જયા મહાત પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હેરડ્રેસર તરીકે કામ કરે છે. પોલીસને આપેલા નિવેદનમાં જયાએ જણાવ્યું હતું કે નૈના નાયગાંવ (ઈસ્ટ)માં રહેતી હતી. જયાએ જણાવ્યું હતું કે 12 ઓગસ્ટના રોજ તેને મેક-અપ મેન પ્રમોદ સાહાનો ફોન આવ્યો હતો કે શું નૈના તેની સાથે છે કારણ કે તેનો ફોન બંધ આવે છે. નૈનાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કોઈ અપડેટ જોયું ન હતું. 14 ઓગસ્ટે જયાએ નાયગાંવ પોલીસમાં ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કેસ ઉકેલી નાખ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ