મુંબઇ વાસીઓને વરસાદથી રાહત મળે એવું શક્યતા બની રહી નથી. ભારતીય હવામાન વિભાગે ચેતવણી જારી કરતાં કહ્યું છે જરૂરી કામ વગર ઘરની બહાર નિકળશો નહીં.
મુંબઇમાં ભારે વરસાદથી હાહાકાર મચી ગયો છે. સતત વરસી રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. હાલ મુંબઇ વાસીઓને વરસાદથી રાહત મળે એવું લાગી રહ્યું નથી. ભારતીય હવામાન વિભાગે જરૂરી કામ વગર ઘરની બહાર નહીં નિકળવાની સલાહ આપી છે. આ ઉપરાંત રેલવે ટ્રેક પર પાણી જમા થવાના કારણે 6 ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે તો કેટલાક રૂટ બદલી નાંખવામાં આવ્યા છે.
Maharashtra: Kalyan railway station waterlogged following incessant rain in the city. pic.twitter.com/JY0w44Ygy8
હવામાન વિભાગ તરફથી શનિવાર રાતે જ ભારે વરસાદના સંકેત આપ્યા હતા. રવિવાર સવારથી ભારે વરસાદનો સિલસિલો ચાલુ છે. કલ્યાણ રેલવે સ્ટેશન પર ટ્રેક પાણીમાં ડૂબી ગયો છે. તો બીજી બાજુ સાંતાક્રૂઝ અને નાગપાડામાં પાણી ભરાઇ જવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે.
થાણે, પાલઘર, રાયગડ, રત્નગિરી અને સિંધુદુર્ગ વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત જોરથી ફૂંકાતા પવન પણ આફત બન્યા છે.
જણાવી દઇએ કે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. શનિવારે નવી મુંબઇ સ્થિત પાંડવકડા ફૉલમાં ચાર વિદ્યાર્થીનીઓ ડૂબી ગઇ હતી.