મુંબઇથી અંદાજે 150 કિલોમીટર દૂર પાલઘર જિલ્લાના જવાહરના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા 13 લોકો ગુરૂવારે કાલમાંડવી ઝરણામાં નહાવા પડ્યા હતા. પરંતુ વરસાદના કારણે પાણીથી નિર્માણ થયેલા ઝરણાની ઉંડાઇને લઇને અનુમાન ન લગાવી શકવાના કારણે નહાતા-નહાતાં ઝરણાની ઉંડાઇમાં ચાલ્યા ગયા હતા. તરતા ન આવડતું હોવાના કારણે 5 લોકોના ડૂબી જવાથી મૃત્યું થયા છે. જેને લઇને આ વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી. જ્યારે મૃતકોના પરિવારજનોમાં માતમ જોવા મળ્યો.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવાહ વિસ્તારમાં ઝરણામાં નહાવા પડેલા બાળકોમાં 5નું મૃત્યું ડુબી જવાથી થયું છે. આ અંગેની જાણકારી પોલીસે આપી છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લોકડાઉન હોવા છતાં 13 બાળકો જવાહર વિસ્તારના કાલમાંડવી ઝરણામાં નહાવા પડ્યાં હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું નહાવા પડેલા બાળકોમાં 5 બાળકોના ડુબી જવાથી મૃત્યું થયા. સૂચના મળતા જ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોના બહાર નીકાળ્યા હતા. અધિકારીના જણાવ્યાં અનુસાર મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.