બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Maharashtra five youngsters feared drown in waterfall

મહારાષ્ટ્ર / પાલઘરમાં ઝરણામાં નહાવા પડેલા 5 બાળકોનુ ડૂબી જવાથી મૃત્યું

Published By: Divyesh

Last Updated: 09:11 AM, 3 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇથી અંદાજે 150 કિલોમીટર દૂર પાલઘર જિલ્લાના જવાહરના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા 13 લોકો ગુરૂવારે કાલમાંડવી ઝરણામાં નહાવા પડ્યા હતા. પરંતુ વરસાદના કારણે પાણીથી નિર્માણ થયેલા ઝરણાની ઉંડાઇને લઇને અનુમાન ન લગાવી શકવાના કારણે નહાતા-નહાતાં ઝરણાની ઉંડાઇમાં ચાલ્યા ગયા હતા. તરતા ન આવડતું હોવાના કારણે 5 લોકોના ડૂબી જવાથી મૃત્યું થયા છે. જેને લઇને આ વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી. જ્યારે મૃતકોના પરિવારજનોમાં માતમ જોવા મળ્યો.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવાહ વિસ્તારમાં ઝરણામાં નહાવા પડેલા બાળકોમાં 5નું મૃત્યું ડુબી જવાથી થયું છે. આ અંગેની જાણકારી પોલીસે આપી છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લોકડાઉન હોવા છતાં 13 બાળકો જવાહર વિસ્તારના કાલમાંડવી ઝરણામાં નહાવા પડ્યાં હતા. 

પોલીસ અધિકારીએ જણાવ્યું નહાવા પડેલા બાળકોમાં 5 બાળકોના ડુબી જવાથી મૃત્યું થયા. સૂચના મળતા જ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોના બહાર નીકાળ્યા હતા. અધિકારીના જણાવ્યાં અનુસાર મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Palghar Waterfall ડુબી પાલઘર મહારાષ્ટ્ર Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ