બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / lockdown paan masala gujarat government
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલાંક નિયમોને આધીન પાન પાર્લર શરૂ કરી શકાશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં તમાકુનું પ્રોડેકટનું વેચાણ કરી શકાશે.
રાજ્યમાં લોકડાઉન 4.0 હેઠળ સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં પાન પાર્લર શરૂ કરી શકાશે. જેમાં જાહેરમાં તમાકુંનું સેવન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
દેશભરમાં આજથી કેટલીક છૂટછાટો સાથે 31 મે સુધી 14 દિવસ માટે લોકડાઉન 4 લાગુ થયું. આ સાથે લોકડાઉન-4 માં રાજ્યોને વધુ અધિકારો અપાયાં છે. જેમાં રાજય સરકાર દ્વારા ઈન્ટર સ્ટેટ બસના સંચાલન પર લઈ નિર્ણય શકાશે. લોકડાઉનનું પાલન કરાવાની જવાબદારી રાજ્યોને અપાઈ છે. લોકડાઉન -4માં સિનેમા હોલ,શોપિંગ મોલ, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે.
ADVERTISEMENT
મહત્વનું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મ્યુનિ કમિશ્નર, જિલ્લા અધિકારીઓ અને કલેક્ટર સાથે લૉકડાઉન 4માં કઈ કઈ બાબતોએ કેટલી છૂટછાટ આપી શકાય તે માટે વીડિયો કોન્ફરન્સથી મીટિગનું આયોજન કર્યુ છે. આવામાં જિલ્લાઓને પણ કયા ઝોનમાં રાખવા તેની પણ ફોર્મ્યુલા નક્કી કરી શકાય છે. પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર એ ચોક્કસ છે કે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પાન-મસાલા અને ગુટખા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.