બ્રેકિંગ ન્યુઝ
દેશની સૌથી મોટી સરકારી બેંકોમાં શામેલ પંજાબ નેશનલ બેંક ફરી એકવાર બેકિંગ સેક્ટરમાં હલચલ મચાવી દીધી છે. બેંકે ભારતીય રિઝર્વ બેંકને 2,434 કરોડ રૂપિયાના લોન ફ્રોડની જાણકારી આપી છે. આ મામલો SREI ગ્રુપની બે કંપનીઓ SREI ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ અને SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ સાથે જોડાયેલો છે. જેમાં પૂર્વ પ્રમોટર શામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
PNBએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું છે કે SREI ઈક્વિપમેટ ફાઈનાન્સ સાથે જોડાયેલું ફ્રોડ લગભગ 1,241 કરોડ જેટલું છે. જ્યારે SREI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ સાથે જોડાયેલી રકમ લગભગ 1,193 કરોડ જેટલી થાય છે. ખાસ વાત એ છે કે બેંકે આ બંને મામલામાં સંપૂર્ણ બાકી રકમ માટે 100% પ્રાવોવિઝન પહેલાજ કરી દીધું છે, જેનો અર્થ એ છે કે બેંકના ખાતાઓ પર સીધી અસર થશે નહીં.

ADVERTISEMENT
NCLTના માધ્યમથી થયુ સમાધાન
બંને કંપનીઓનો મામલો કોર્પોરેટ ઈનસોલ્વેંસી રિઝોલ્યુશન પ્રોસેસ દ્વારા નેશનલ લો ટ્રિબ્યૂનલમાં ચલાવામાં આવ્યો છે. બાદમાં આ અંગે સમાધાનની મંજૂરી મળી ગઈ હતી. ઓગસ્ટ 2023માં નેશનલ એસેટ રિકંસ્ટ્રક્શનની યોજનાની મંજૂરી મળ્યા બાદ કંપનીઓના બોર્ડની ફરી રચના કરવામાં આવી.
ADVERTISEMENT

પંજાબ નેશનલ બેંક
ADVERTISEMENT
SREI ગ્રુપે 1989માં ફાઈનાન્સ સેક્ટરમાં એન્ટ્રી મારી હતી. ખાસ કરીને કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના ફાઈનાન્સમાં તેમની સારી એવી પકડ હતી. પરંતુ ખોટા નાણાકીય વ્યવહારો અને ભારે ડિફોલ્ટ્સને ઓક્ટોબર 2021માં કંપનીને દેવાનો સામનો કરવો પડ્યો
વધુ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર મામલે ભારતે મોહમ્મદ યુનુસ સરકારને ખખડાવી, આપી કડક પ્રતિક્રિયા
ADVERTISEMENT
PNBની તાકાત કેવી છે?
PNBએ કહ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી બેંકનું પ્રોવિઝન 643 કરોડ રૂપિયા રહ્યો. જે પાછળના વર્ષ કરતા વધારે છે. બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો હવે વધીને 96.91 ટકા થઈ ગયો છે. બેંકના એસેટ ક્વોલિટી હિસાબથી સારો સંકેત માનવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.