બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / lalu prasad yadav got bail in fodder scam doranda Treasury case

છુટકારો / ઘાસચારા કૌભાંડમાં લાલુને વધુ એક રાહત, પાંચમા કેસમાં પણ મળી ગયા જામીન

Mayur

Last Updated: 01:25 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને વધુ એક રાહત મળી ગઈ છે. તેમની વિરુદ્ધનાં પાંચમા કેસમાં પણ તેઓને રાહત મળી છે અને જામીન આપવામાં આવ્યા છે.

  • ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને રાહત 
  • ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં મળ્યા જામીન 
  • દંડ તરીકે 10 લાખ રૂપિયા ભરવા પડશે

 

ઝારખંડ હાઈકોર્ટે આપ્યા  જામીન

ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને જામીન મળી ગયા છે. ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત આ પાંચમો કેસ છે, જેમાં તેને ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે. સીબીઆઈએ જામીન આપવાનો સખત વિરોધ કર્યો હતો.


આરજેડી ચીફના વકીલે કહ્યું કે તેમને આ આધાર પર જામીન આપવામાં આવ્યા છે કે તેમણે અડધી સજા ભોગવી છે અને તેમની તબિયત ખરાબ છે. તેઓ ટૂંક સમયમાં મુક્ત થશે. લાલુ યાદવે 1 લાખ રૂપિયાના બોન્ડ અને દંડ તરીકે 10 લાખ રૂપિયા ભરવા પડશે.આરજેડી ચીફ ચારા કૌભાંડ સાથે સંબંધિત ચાર કેસમાં દોષિત ઠર્યા છે અને તેમને જામીન પણ મળી ચૂક્યા છે.

ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડ

આ મામલો ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડ સાથે સંબંધિત છે. ઝારખંડ હાઈકોર્ટે શુક્રવારે જામીન આપ્યા હતા. 27 વર્ષ પછી, કોર્ટે ફેબ્રુઆરીમાં ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં પોતાનો ચુકાદો આપ્યો. આમાં લાલુ યાદવ દોષી સાબિત થયા હતા. તેને પાંચ વર્ષની જેલ અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

અલગ-અલગ 53 કેસ નોંધાયા 

1996માં સીબીઆઈએ અલગ-અલગ ટ્રેઝરીમાંથી ખોટી રીતે અલગ-અલગ રકમ ઉપાડવા બદલ 53 કેસ નોંધ્યા હતા. તેમાંથી ડોરાન્ડા ટ્રેઝરી કેસ સૌથી મોટો હતો.જેમાં સૌથી વધુ 170 આરોપીઓ સામેલ હતા. 55 આરોપીઓ મૃત્યુ પામ્યા છે.

અલગ અલગ કેસમાં કુલ 30 થી વધારે વર્ષની સજા

લાલુ ચાઈબાસા ટ્રેઝરીમાંથી 37.7 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાના કેસમાં જામીન પર બહાર છે. જેમાં તેને 5 વર્ષની સજા થઈ હતી. દેવઘર તિજોરીમાંથી ગેરકાયદેસર રીતે 79 લાખ ઉપાડવાના કૌભાંડના બીજા કેસમાં પણ તે જામીન પર બહાર છે. આ કેસમાં તેને સાડા ત્રણ વર્ષની સજા થઈ હતી. ચાઈબાસા ટ્રેઝરીમાંથી 33.13 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાના ત્રીજા કેસમાં પણ તેઓને જામીન આપવામાં આવ્યા હતા. આ કેસમાં તેને 5 વર્ષની સજા થઈ હતી. દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર રીતે 3.13 કરોડ ઉપાડવાના ચોથા કેસમાં તેને બે અલગ-અલગ કલમોમાં 7-7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તેમાં પણ તે જામીન પર બહાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ