આર્યુવેદ પ્રમાણે ગાયના ઘીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ, ફેટી એસિડ્સ, એન્ટીઓક્સીડન્ટ, એન્ટી વાયરલ પ્રોપર્ટી છે. જેને કારણે તે શરીરની અનેક સમસ્યાઓમાં લાભદાયી ગણાય છે. જો યોગ્ય માત્રામાં ઘી લેવામાં આવે તો તે શરીરને નુકસાન નહીં પરંતુ ફાયદો કરે છે.
રોજ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી નાંખીને પીવાથી સવારે પેટ સાફ આવે છે.
હાઈબ્લડપ્રેશરની તકલીફમાં ગાયનું ઘી ખાવાથી પોટેશિયમ મળી રહે છે. જે રાહત આપે છે.
ગાયના ઘીમાં રહેલું ફોસ્ફરસ દાંતને મજબૂત બનાવે છે.
ગાયના ઘીમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ્સ ફ્રી રેડિકલ્સને દૂર કરીને રિંકલ્સની સમસ્યાને દૂર કરે છે. સુંદરતા વધારવામાં મદદ મળે છે.
ગાયના ઘીમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે જેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને હાર્ટ હેલ્ધી રહે છે.
ગાયના ઘીમાં વિટામિન એ હોય છે જે આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે.
ગાયના ઘીમાં એન્ટીઓક્સીડન્ટ્સ ભરપૂર હોવાથી ઈમ્યુનિટી વધે છે અને બિમારીઓ દૂર રહે છે.
ગાયના ઘીનું ફેટી એસિડ ફેટ્સ ઓછી કરે છે અને વેટલોસમાં મદદ કરે છે.
ગાયના ઘીમાં શોર્ટ ચેન ફેટી એસિડ હોય છે, જેથી કબજિયાતમાં રાહત મળે છે.
ગાયના ઘીમાં એન્ટીઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે અલ્સરથી બચાવવામાં મદદ કરે છે.
હાથ-પગમાં બળતરા થાય તો તળિયામાં કે હથેળીમાં ગાયના ઘીની માલિશ કરવાથી રાહત મળે છે.
ગાયના ઘીની માલિશ છાતી પર કરવામાં આવે તો કફની સમસ્યામાં રાહત મળે છે.
ગાયના ઘીના ટીપાં નાકમાં નાખવાથી કાનનો પડદો સારો રહે છે.