બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:54 AM, 23 February 2024
આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ છે. સનાતન ધર્મની અંદર મહાશિવરાત્રિનું ખૂબ જ મહત્વ છે. આ પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતી માટે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિને લઈને લોકોમાં એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રિની શરૂઆત 8 માર્ચના રોજ રાત્રે 9:57 વાગ્યે થશે. ઉદય તિથિ પ્રમાણે મહાશિવરાત્રિ 8 માર્ચના રોજ જ ઉજવવામાં આવશે.
ADVERTISEMENT

નિશિતા કાળ
નિશિતા કાળ 8 માર્ચના રોજ રાત્રે 12:05 વાગ્યાથી 9 માર્ચના રોજ 12:56 મિનિટ સુધી રહેશે.
ADVERTISEMENT
પ્રથમ પૂજાનો સમય
મહાશિવરાત્રિની પ્રથમ પૂજા 8 માર્ચના રોજ 6:25 વાગ્યે થશે અને તેનું સમાપન 9:28 વાગ્યે થશે.
મહાશિવરાત્રિનો શુભ સંયોગ અને પ્રદોષ વ્રત
મહાશિવરાત્રિના દિવસે પ્રદોષ વ્રત પણ છે. પ્રદોષ વ્રતના દિવસે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ વ્રત દર મહિને 2 વાર આવે છે.
ADVERTISEMENT
.jpg)
વાંચવા જેવું: જલ્દી કરો! આજના દિવસે ખરીદી લો આ 5 શુભ ચીજો, ભાગ્ય ચમકી ઉઠશે, જાણો કેમ
ADVERTISEMENT
મહાશિવરાત્રિની પૂજા વિધિ
આ દિવસે ભગવાન શિવની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. ચંદન તિલક લગાવો. બીલીપત્ર, ભાંગ, ધતૂરો, તુલસી વગેરે અર્પણ કરો. ત્યારબાદ કેસરવાળી ખીરનો ભોગ ચડાવો. મહાશિવરાત્રિના દિવસે શિવ પુરાણનો પાઠ કરવો જોઈએ. આ દિવસે રાત્રિનું જાગરણ પણ કરવામાં આવે છે.
મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરવા જોઈએ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.