બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતો આનંદો! Kisan Credit Cardમાં વધી લોન લિમિટ, જાણો નવા નિયમો
7 ફોટો ગેલેરી
Last Updated: 08:19 PM, 7 August 2026
1/7
નાણાકીય મુશ્કેલીઓ અને ખાનગી શાહુકારોના મોંઘા વ્યાજના બોજમાંથી દેશના ખેડૂતોને મુક્ત કરાવવા અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે 'કિસાન ક્રેડિટ કાર્ડ' (KCC Scheme) માં મોટા સુધારા કર્યા છે. સરકારે આ યોજનાનો વ્યાપ વધારવાની સાથે તેની લોન મર્યાદામાં પણ મોટો વધારો કર્યો છે.
2/7
નાણા મંત્રાલયની તાજી જાહેરાત મુજબ, હવે KCC યોજના માત્ર ઘઉં કે ડાંગર જેવી પરંપરાગત ખેતી પૂરતી સીમિત નથી. હવે પશુપાલન, મત્સ્યપાલન, ડેરી, બકરી પાલન અને ડુક્કર પાલન જેવા કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવી શકાશે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની આવકના નવા સ્ત્રોત ઊભા કરવાનો છે.
3/7
ખેતીનો વધતો ખર્ચ અને આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા ₹3 લાખથી વધારીને સીધી ₹5 લાખ કરી દીધી છે. આ વધારેલી રકમથી ખેડૂતો સારી ગુણવત્તાના બિયારણ, ખાતર, આધુનિક મશીનરી ખરીદી શકશે તેમજ પાક લણણી પછી તેના સુરક્ષિત સંગ્રહ કે પશુપાલન વ્યવસાયના વિસ્તાર માટે ઉપયોગ કરી શકશે.
4/7
5/7
6/7
KCC માટે જમીન ધરાવતા ખેડૂતો ઉપરાંત ભાગીદારીમાં ખેતી કરતા ખેડૂતો અને મહિલા સ્વસહાય જૂથો (SHGs) પણ અરજી કરી શકે છે. અરજી નજીકની સરકારી, ગ્રામીણ કે સહકારી બેંકમાં જઈને અથવા 'જન સમર્થ પોર્ટલ' અને 'કિસાન ઋણ પોર્ટલ' દ્વારા ઓનલાઇન કરી શકાય છે. ઓળખ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂર પડે છે. ઉપરાંત જમીનની પાસબુક, બેંક ખાતાની વિગત અથવા પશુપાલન/મત્સ્યપાલન સંબંધિત જગ્યાની વિગતો રજૂ કરવાની રહેશે. હાલમાં દેશની 450 થી વધુ બેંકો આ કાર્ડ આપે છે.
7/7
KCC હેઠળ મંજૂર થયેલી મર્યાદા 5 વર્ષ માટે માન્ય રહે છે. તેમાં દર મહિને EMI આપવાની કોઈ ફરજિયાત શરત નથી; ખેડૂતો પાક વેચાયા પછી એકસાથે રકમ જમા કરાવી શકે છે. પૂર કે દુષ્કાળ જેવી કુદરતી આપત્તિના સમયે RBI ના નિયમો મુજબ વ્યાજમાં છૂટછાટ અને ધિરાણ ચુકવણીની મુદતમાં વધારો કરી આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ