બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / karnataka cm announcement update dk shivakumar siddaramaiah mallikarjun kharge
Malay
Last Updated: 12:49 PM, 17 May 2023
કર્ણાટકના નવા મુખ્યમંત્રીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવામાં આવશે. સાથે જ ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રીના પદની સાથે બે મહત્વના મંત્રાલયો સોંપવામાં આવશે. આ અંગે રાહુલ ગાંધી બપોરે 1 વાગ્યે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
BIG BREAKING | કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાના નામ પર મહોર, આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાતની સંભાવના: સૂત્ર#Karnataka #ChiefMinister #Siddaramaiah #vtvgujarati pic.twitter.com/auH6sdEXZt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 17, 2023
ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદની ઓફર
કર્ણાટકના મુખ્યમંત્રીને લઈને ચાર દિવસથી ચાલી રહેલી અટકળોનો દોર હવે ખતમ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તો ડીકે શિવકુમારને મહત્વપૂર્ણ મંત્રાલયોની સાથે ડેપ્યુટી સીએમ પદની ઓફર કરવામાં આવી છે. આવતીકાલે બેંગ્લુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓને આવતીકાલે બપોરે 3.30 વાગ્યે કંતીરવા સ્ટેડિયમમાં શપથગ્રહણની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે.
80થી વધુ ધારાસભ્યો સિદ્ધારમૈયાના સપોર્ટમાં
મુખ્યમંત્રીના પદને લઈને છેલ્લા ચાર દિવસથી બેંગ્લુરુથી લઈને દિલ્હી સુધી અનેક બેઠકો યોજાઈ હતી. સિદ્ધારમૈયા રેસમાં સૌથી આગળ હતા. આ પહેલા રવિવારે યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય વિધાયક દળની બેઠકમાં તમામ ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રીની પસંદગી કરવા કહ્યું હતું. આ પછી કોંગ્રેસ અધ્યક્ષે નિરીક્ષકોને તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરવા કહ્યું હતું. જેમાંથી 80થી વધુ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાની તરફેણમાં મતદાન કર્યું હતું.
સિદ્ધારમૈયાનું પલડું ક્યાં રહ્યું ભારે?
- સિદ્ધારમૈયા કોંગ્રેસના કર્ણાટકમાં સૌથી મોટા નેતાઓમાંથી એક છે. તેઓને શરૂઆતથી જ મુખ્યમંત્રીના પદ માટે ડીકે શિવકુમાર કરતા વધુ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં 12 ચૂંટણી લડી, જેમાંથી તેમણે 9માં જીત મેળવી હતી.
- સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ 1994માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી. જ્યારે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે.
- સિદ્ધારમૈયા અને ડીકે બંનેને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેએ 2008માં સિદ્ધારમૈયાને JDSમાંથી કોંગ્રેસમાં લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેઓ મલ્લિકાર્જુન ખડગેની ખૂબ નજીકના હોવાનું કહેવાય છે.
- સિદ્ધારમૈયા 2013થી 2018 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા. સિદ્ધારમૈયા કુરુબા સમુદાય (ઓબીસી)માંથી આવે છે. તે કર્ણાટકમાં ત્રીજો સૌથી મોટો સમુદાય છે. એટલું જ નહીં સિદ્ધારમૈયાને રાજ્યના સૌથી મોટા ઓબીસી નેતા માનવામાં આવે છે. સિદ્ધારમૈયાને શિવકુમાર કરતા મોટા જન નેતા માનવામાં આવે છે.
કોંગ્રેસે મારી હતી બાજી
10 મે, 2023ના રોજ કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં રેકોર્ડબ્રેક 73.19 ટકા મતદાન થયું હતું. ત્યારે 17 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે સવારના 8 વાગ્યાથી રાજ્યભરના 36 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઇ ગઇ હતી. જેમાં કોંગ્રેસની જીત થઈ હતી. કર્ણાટકની કુલ 224 સીટોમાંથી કોંગ્રેસને 135 સીટો, ભાજપને 66 સીટો, જેડીએસને 19 સીટો અને અન્યને 4 સીટો મળી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy