બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પહેલા પિતાનો ઇન્શ્યોરન્સ કરાવ્યો, બાદમાં રૂપિયા મેળવવા કર્યો એવો કાંડ, કે પગ નીચેથી જમીન સરકી જશે
Last Updated: 01:50 PM, 7 January 2025
કર્ણાટકના કલબુર્ગીમાં બેન્નૂર ક્રોસિંગ પર લગભગ 6 મહિના પહેલા ટ્રેક્ટરની અડેફેટે ચડતા એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. બધાએ આ ઘટનાને એક રોડ એક્સિડન્ટ માની લીધું. પોલીસે પણ અકસ્માતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઇન્શ્યોરન્સના પૈસા મેળવવા માટે દીકરાએ તેના મિત્ર સાથે મળીને પિતાની હત્યા કરી હતી. કલબુર્ગી પોલીસે આ હત્યા કેસમાં આરોપી દીકરા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ચાલો જાણીએ, શું છે સમગ્ર મામલો
કલબુર્ગીના આદર્શનગરનો રહેવાસી સતીશ એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો. તેણે લાખો રૂપિયાની લોન લઈને ઘર બનાવ્યું હતું. આર્થિક તંગી સામે ઝૂઝી રહેલા સતીશે પૈસા મેળવવા માટે એક ભયંકર વિચાર આવ્યો. તેણે પહેલા પોતાના પિતા કલિંગરાય ખમિતકરનો ઇન્શ્યોરન્સ કરાવ્યો, પછી તેમની હત્યાનું કાવતરું ઘડ્યું. 60 વર્ષીય કલિંગરાય તેમના દીકરાના ખરાબ ઈરાદાથી અજાણ હતા. દીકરાએ હત્યાના કાવતરાંમાં પોતાના કેટલાક મિત્રો અરુણ, રાકેશ અને યુવરાજને પણ સામેલ કરી લીધા. આને બદલે ઇન્શ્યોરન્સની રકમ મળ્યા બાદ લાખો રૂપિયા આપવાનું વચન આપ્યું.
ADVERTISEMENT
પિતાને ચઢાવી દીધા ટ્રેક્ટરની અડફેટે
કલબુર્ગીના એસપી અડુરુ શ્રીનિવાસુલુએ જણાવ્યું કે 8 જુલાઈ 2024એ સતીશ પોતાના પિતા સાથે બાઈક પર ફરવાના બહાને ઘરેથી નીકળ્યો. શાતિર દીકરાએ કલિંગરાયને બાઇક ચલાવવા વિનંતી કરી અને પોતે પાછળ બેસી ગયો. પ્લાન મુજબ બેન્નૂર ક્રોસિંગ પર પહોંચતા જ સતીશે બાઇક રોકવાનું કહ્યું અને પેશાબ કરવાના બહાને ત્યાંથી નીકળી ગયો. કલિંગરાય બાઇક પર બેઠાં-બેઠાં તેના પાછા ફરવાની રાહ જોતા રહ્યા. આ દરમિયાન સતીશે તેના મિત્રોને તેના પિતા ઉપર ટ્રેક્ટર ચલાવવાનો ઈશારો કર્યો. ટ્રેક્ટર પર બેઠેલા તેના ત્રણ મિત્રોએ કલિંગરાય ખમિતકરને ટ્રેક્ટરથી કચડી નાખ્યા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. હત્યાને અકસ્માત સાબિત કરવા માટે સતીશે પોતાને પણ પથ્થરથી ઘાયલ કરી દીધો.
ADVERTISEMENT

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ખુલી પોલ
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, ગુનો કર્યા પછી, સતીશ રડવાનું નાટક કરતો મડબુલા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને અકસ્માતની ખોટી વાર્તા સંભળાવી. પોલીસે એફઆઈઆર નોંધીને કેસની તપાસ શરૂ કરી દીધી. શાહાબાદના ડીએસપી શંકરગૌડા પાટીલ, સીપીઆઈ જગદેવપ્પા પાલા અને પીએસઆઈ ચેતનની ટીમને સતીશની હરકતો પર શંકા ગઈ. સતીશને આ કેસને આગળ વધારવામાં રસ નહોતો. દરમિયાન, તેના પિતાના મૃત્યુ પછી, ઇન્શ્યોરન્સ કંપની તરફથી 5 લાખ રૂપિયાની રકમ પણ મળી ગઈ, જેમાંથી તેણે 3.5 લાખ રૂપિયા અરુણ કુમારને આપ્યા. તેણે આ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા. તપાસ દરમિયાન આ ટ્રાન્ઝેક્શનની જાણ થતાં જ પોલીસની શંકા ગઈ.
આ પણ વાંચો: 'રાજનીતિમાં વધારે ના પડો...', સંભલમાં ધમકીઓ શરૂ! 46 વર્ષ બાદ મળી આવેલા મંદિરના પૂજારીનો દાવો
ADVERTISEMENT
કલબુર્ગીના પોલીસ અધિક્ષક અદુરુ શ્રીનિવાસુલુના જણાવ્યા અનુસાર, તપાસ ટીમે સતીશ, અરુણ કુમાર અને ટ્રેક્ટર ડ્રાઈવર રાકેશ અને યુવરાજની ધરપકડ કરી લીધી. અરુણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે સતીશના કહેવા પર જ તેના પિતાને ટ્રેક્ટર વડે ટક્કર મારી હતી. ત્યારબાદ સતીશે પણ પોતાનો ગુનો કબૂલી લીધો. એસપીએ આ કેસનો પર્દાફાશ કરનારા તપાસ અધિકારીઓને પ્રશસ્તિપત્ર આપ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.