બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:26 PM, 14 August 2026
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાની તબિયત અચાનક બગડતાં તેમને નવી દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી જાહેર કરાયેલા અધિકારી નિવેદન મુજબ, 13 ઓગસ્ટની સાંજે તેમને અસ્વસ્થતા અનુભવાતાં તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કોરોનરી એન્જિયોગ્રાફી સહિત અનેક મહત્વપૂર્ણ ટેસ્ટ કરાયા હતા. ડોક્ટરોએ હાલ તેમની સ્થિતિ સ્થિર જણાવી છે અને તેમને કાર્ડિયોલોજી વિભાગમાં નજર હેઠળ રાખવામાં આવ્યા છે. નડ્ડાની તબિયતને લઈને સમર્થકો અને રાજકીય વર્તુળોમાં ચિંતા વ્યક્ત કરાઈ રહી છે, જ્યારે એમ્સે જણાવ્યું છે કે તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
Official statement by AIIMS New Delhi regarding the health status of Hon’ble Union Minister of Health and Family Welfare, Shri J.P. Nadda. pic.twitter.com/zsV5gXd4h9
— AIIMS, New Delhi 🇮🇳 (@aiims_newdelhi) August 14, 2026
એમ્સે આરોગ્ય બુલેટિન જાહેર કર્યું
ADVERTISEMENT
એમ્સ નવી દિલ્હીએ અધિકારી નિવેદનમાં કહ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને અસ્વસ્થતાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં તપાસ માટે લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમની વિગતવાર તબીબી તપાસ કરી, જેમાં કોરોનરી એન્જિયોગ્રાફી પણ સામેલ હતી. હોસ્પિટલ અનુસાર હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તેમને કાર્ડિયોલોજી વિભાગમાં નિરીક્ષણ માટે દાખલ રાખવામાં આવ્યા છે.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के आह्वान पर देशभर में “हर घर तिरंगा” अभियान उत्सव के रूप में मनाया जा रहा है। इसी उत्साह के साथ आज मैंने अपने निवास पर राष्ट्रीय ध्वज तिरंगा फहराया।
— Jagat Prakash Nadda (@JPNadda) August 13, 2026
80वें स्वतंत्रता दिवस पर #HarGharTiranga जनआंदोलन के अंतर्गत देशभर नागरिकों में अपार… pic.twitter.com/qfPqiWmoUY
ADVERTISEMENT
14 ઓગસ્ટે “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” નિમિત્તે જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેમને કહ્યું હતું કે આ દિવસ તે લાખો લોકોના દુઃખ, સંઘર્ષ અને બલિદાનની યાદ અપાવે છે, જેમણે દેશના વિભાજન દરમિયાન વિસ્થાપન અને કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. નડ્ડાએ એવા પરિવારોને નમન કર્યું હતું, જેમણે બધું ગુમાવ્યા છતાં દેશના પુનર્નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
જેપી નડ્ડાએ સ્વતંત્રતા દિવસ પહેલાં ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગઈકાલે પોતાના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમને દેશવાસીઓને પણ પોતાના ઘરો પર તિરંગો ફરકાવવા અને અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. તેમને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તિરંગો દરેક ભારતીયના ગૌરવ, એકતા અને સ્વતંત્રતાનું પ્રતીક છે અને તે રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.