બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમ અમલમાં, 45 દિવસમાં દંડ ભરવો ફરજિયાત
Last Updated: 02:45 PM, 14 August 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે રાજ્ય પોલીસે નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમ શરૂ કરી છે. 12 ઓગસ્ટથી રાજ્યભરમાં આ નવી ચલણ સિસ્ટમ અમલમાં આવી છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ સુધારાઓના આધારે આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોના ભંગ સામે ઝડપી અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે.
ADVERTISEMENT

નવી વ્યવસ્થા મુજબ હવે કોઈપણ વાહનચાલકને ઈ-ચલણ મળ્યા બાદ તેને ભરવા અથવા જો જરૂરી હોય તો પડકારવા માટે કુલ 45 દિવસનો સમય આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલક દંડની રકમ ભરી શકશે અથવા કાયદાકીય પ્રક્રિયા મુજબ ચલણને પડકારી શકશે. પરંતુ જો 45 દિવસની સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા નિયમો અનુસાર ઈ-ચલણ મળ્યાના 45 દિવસની અંદર દંડની રકમ ભરવી ફરજિયાત રહેશે. જો આ સમયગાળામાં દંડ નહીં ભરવામાં આવે તો સંબંધિત વાહનચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સ સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેનું લાઇસન્સ રદ્દ પણ થઈ શકે છે. તેથી તમામ વાહનચાલકોને સમયસર ઈ-ચલણની જાણકારી મેળવીને જરૂરી કાર્યવાહી કરવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ નવી સિસ્ટમમાં વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વાહનચાલક એક વર્ષ દરમિયાન પાંચ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો તેની સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાંનો હેતુ નિયમોના વારંવાર ભંગને અટકાવવાનો અને માર્ગ સુરક્ષામાં સુધારો લાવવાનો છે.

ADVERTISEMENT
ગુજરાત પોલીસે વાહનચાલકોને વધુ એક મહત્વપૂર્ણ સૂચના આપી છે. પરિવહન પોર્ટલ પર પોતાનો સક્રિય મોબાઇલ નંબર અપડેટ રાખવો હવે ખૂબ જ જરૂરી બનશે. કારણ કે ઈ-ચલણ સહિતની તમામ મહત્વપૂર્ણ જાણકારી નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. જો મોબાઇલ નંબર અપડેટ નહીં હોય તો વાહનચાલકને ચલણની સમયસર જાણ નહીં થાય અને સમયમર્યાદા પૂરી થયા બાદ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા મોટા સુધારાઓને અનુરૂપ ગુજરાતમાં આ નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. નવી ટેક્નોલોજી દ્વારા ટ્રાફિક નિયમોના અમલને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ દંડ વસૂલાતની પ્રક્રિયામાં પણ પારદર્શિતા અને ઝડપ લાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદના મનપસંદ જીમખાના જુગારકાંડમાં મોટી કાર્યવાહી, દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ
રાજ્ય પોલીસનું માનવું છે કે નવી સિસ્ટમના અમલથી ટ્રાફિક નિયમોના પાલનમાં વધારો થશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવામાં પણ મદદ મળશે. વાહનચાલકોને પણ નિયમોનું પાલન કરવા અને પોતાના વાહન સંબંધિત તમામ વિગતો, ખાસ કરીને પરિવહન પોર્ટલ પરનો મોબાઇલ નંબર, સમયસર અપડેટ રાખવાની અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.