બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો રહસ્ય હજુ અકબંધ, 25 બાળકોનાં મોત છતાં વાહકનો પત્તો નહીં

કહેર / ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો રહસ્ય હજુ અકબંધ, 25 બાળકોનાં મોત છતાં વાહકનો પત્તો નહીં

Published By: Nidhi Panchal

Last Updated: 03:19 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના પ્રકોપે ગંભીર ચિંતા ઊભી કરી છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં 25 બાળકોનાં મોત થયા હોવા છતાં વાયરસ ફેલાવનાર ચોક્કસ વાહક હજુ સુધી શોધી શકાયો નથી.

ગુજરાતમાં છેલ્લાં લગભગ પાંચ અઠવાડિયાંમાં ચાંદીપુરા વાઈરસથી ૨૫ બાળકોનાં મોત થયાં છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોને અત્યાર સુધી તપાસવામાં આવેલા વાઈરસના જાણીતા વાહકોમાં તેનો કોઈ પત્તો મળ્યો નથી. માટીનાં ઘરોની તિરાડો અને પશુઓની આસપાસ જોવા મળતી સેન્ડફ્લાયને ચાંદીપુરા વાઈરસના મુખ્ય સંભવિત વાહક તરીકે જોવામાં આવે છે.

chandipura-virus-2

30 જૂને ચાંદીપુરાનો પ્રકોપ શરૂ થયા બાદ મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. હજારો સેન્ડફ્લાય ઉપરાંત મચ્છર અને ટિક્સના નમૂનાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તમામનાં પરિણામ નેગેટિવ આવ્યાં છે. ૨૦૨૪ના પ્રકોપ દરમિયાન પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે ચાંદીપુરાના શંકાસ્પદ ૭૮ કેસમાંથી ૨૮ બાળકોનાં મોત થયાં હતાં, છતાં વાઈરસના વાહકનો પત્તો લાગ્યો નહોતો.

ચાંદીપુરાના 39 કેસની પુષ્ટિ

હાલના પ્રકોપમાં ગુજરાત સરકારે ચાંદીપુરાના 39 કેસની પુષ્ટિ કરી છે અને તમામ દર્દીઓ બાળકો છે. ચાંદીપુરા વેસિક્યુલોવાઈરસ (CHPV) મુખ્યત્વે ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને અસર કરે છે, તેમાં અચાનક ઊંચો તાવ આવે છે અને ઝડપથી એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES)માં ફેરવાઈ શકે છે, જેમાં મગજમાં સોજો અને ખેંચ આવવા જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે. આ રોગની પ્રથમ ઓળખ ૧૯૬૫માં મહારાષ્ટ્રના નાગપુર નજીકના ચાંદીપુરા ગામમાં થઈ હતી.

એક નહીં, એકથી વધુ વાહકની શક્યતા

૨૦૧૮ના પ્રકોપ બાદ સેન્ડફ્લાયને ચાંદીપુરાના વાહક તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. ગુજરાતમાં Sergentomyia પ્રજાતિની સેન્ડફ્લાયમાં CHPV મળ્યો હોવાનો અહેવાલ પણ આવ્યો હતો, જોકે આ વખતે પૂર્વ ગુજરાતમાં સેન્ડફ્લાય સામાન્ય હોવા છતાં પશ્ચિમ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરાના દર્દીઓ મળી રહ્યા છે. તેથી સંશોધકોને એક કરતાં વધુ પ્રકારના જંતુઓ માણસોમાં વાઈરસ પહોંચાડતા હોવાની શક્યતા લાગી રહી છે. ગુજરાત અને પાંચ રાષ્ટ્રીય સંસ્થાઓના સંશોધકોની નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમે ૨૦૨૪ અને ૨૦૨૬ના ગુજરાત તથા રાજસ્થાનના પ્રકોપ દરમિયાન એકત્ર કરાયેલા હજારો સેન્ડફ્લાય અને અન્ય વાહકોના નમૂનાઓની તપાસ કરી છે. અત્યાર સુધી કોઈ નમૂનામાં વાઈરસ મળ્યો નથી.

chandipura 3

હાલના CHPV કેસો ગુજરાતના 12 જિલ્લાઓ અને રાજસ્થાનના ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલા છે. ગુજરાતમાં સૌથી વધુ પાંચ કેસ પાટણ અને ત્યાર બાદ ચાર કેસ સાબરકાંઠામાં નોંધાયા છે. નિષ્ણાતોના મતે અલગ-અલગ વિસ્તારોમાં એકલદોકલ કેસ હોવાથી વાઈરસના વાહકોની સંખ્યા પણ ઓછી હોઈ શકે છે, જેના કારણે તેમને શોધવાનું વધુ મુશ્કેલ બને છે.

મચ્છર અને પશુઓની પણ તપાસ

સંશોધકો હવે સેન્ડફ્લાય ઉપરાંત એડિસ એજિપ્ટી અને ક્યુલેક્સ મચ્છર પણ ચાંદીપુરાના વાહક તરીકે કામ કરે છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. દર્દીઓના વિસ્તારોમાં આવેલા પશુઓના નમૂનાઓની પણ તપાસ કરવામાં આવી છે. ગાય, ભેંસ અને બકરાંના લોહીના નમૂના તથા દૂધના નમૂનાઓ એકત્ર કરાયા છે. અત્યાર સુધી આશરે 70 પશુ નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે લેબોરેટરી તપાસ પૂર્ણ થવાની રાહ જોવાઈ રહી છે. સેન્ડફ્લાયના નમૂનાઓ એકત્ર કર્યા બાદ તેમને માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે. ત્યાર બાદ તેને ક્રશ કરીને ન્યુક્લિક એસિડ કાઢવામાં આવે છે અને RT-PCR ટેસ્ટ દ્વારા તેમાં CHPV છે કે નહીં તે તપાસવામાં આવે છે.

ટિક્સ-માઇટ્સની તપાસ પણ શરૂ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચાંદીપુરાના ટ્રાન્સમિશન ચક્રને સમજવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. સેન્ડફ્લાય ઉપરાંત મચ્છર, ટિક્સ અને માઇટ્સ પણ વાઈરસના સંભવિત વાહક તરીકે તપાસવામાં આવી રહ્યા છે. હોટસ્પોટ વિસ્તારોમાં ઘરેલુ પશુઓ અને અન્ય પ્રાણીઓ પણ વાઈરસ જાળવી રાખવામાં ભૂમિકા ભજવે છે કે કેમ તે જાણવા માટે એનિમલ સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલના તબક્કે કોઈ એક ચોક્કસ વાહકને જવાબદાર ઠેરવવું વહેલું છે. 2024ના પ્રકોપમાં પણ કોઈ ચોક્કસ વાહક નિશ્ચિત થઈ શક્યો નહોતો.

આ પણ વાંચો : દશામાના વ્રત અંગે જયંત પંડ્યાના નિવેદનથી વિવાદ, અંધશ્રદ્ધા, આર્થિક લાભ અંગે ઉઠાવ્યા સવાલ

નિષ્ણાતોની ચેતવણી : સર્વેલન્સ વધુ સઘન બનાવવું જરૂરી

ICGEB સાથે સંકળાયેલા ડૉ. સુજાતા સુનિલના મતે સંશોધકો સર્વેલન્સનો યોગ્ય સમય અને તેની ઊંડાઈ ચૂકી શકે છે. તેમના જણાવ્યા મુજબ માત્ર સેન્ડફ્લાય નહીં, પરંતુ તમામ સંભવિત વાહકો અને માનવ પ્રકોપો વચ્ચે વાઈરસ જાળવી રાખતા પ્રાણી સ્રોતો પર પણ નજર રાખવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર પ્રકોપ વખતે જ નહીં, પરંતુ દર વર્ષે જૂનથી ઑગસ્ટ દરમિયાન સતત સર્વેલન્સ થવું જોઈએ. મચ્છરોની સરખામણીમાં સેન્ડફ્લાયની સંખ્યા ઓછી હોવાથી અને CHPVનો ચેપ દર પણ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sandfly Gujarat Health Chandipura Virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ