બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:30 AM, 14 August 2026
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નાસિકમાં પહેલો ભૂકંપ મોડી રાત્રે 12:05 વાગ્યે આવ્યો હતો.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી. ત્યારબાદ સવારે 5:32 વાગ્યે ફરી ધરતી ધ્રૂજી હતી અને આ વખતે તીવ્રતા 3.4 રહી હતી.બે વખત આવેલા આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા અને કેટલાક લોકો ઘરની બહાર પણ નીકળી આવ્યા હતા.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ પહેલો ભૂકંપ મોડી રાત્રે 12:05 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. આ ભૂકંપ જમીનની અંદર લગભગ 3 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.થોડા કલાક બાદ સવારે 5:32 વાગ્યે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વખતે ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ હતી. એક જ રાત અને સવાર દરમિયાન બે વખત ધરતી ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભૂકંપના આંચકા અનુભવાયા બાદ કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. સતત બે વખત ધરતી ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જોકે અત્યાર સુધી મળતી માહિતી મુજબ નાસિકમાં ભૂકંપના કારણે કોઈ મોટા જાનમાલના નુકસાનની માહિતી સામે આવી નથી. સ્થાનિક તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ADVERTISEMENT
નાસિક પહેલાં એક દિવસ અગાઉ લદ્દાખના લેહમાં પણ ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ગુરુવારે લગભગ ચાર કલાકના અંતરમાં બે વખત ધરતી ધ્રૂજી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર લેહમાં પહેલો અને વધુ તીવ્ર ભૂકંપ સવારે 6:05 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'મિર્ઝાપુર' ફિલ્મ કાસ્ટ ફી : પંકજ ત્રિપાઠીથી લઈને 'ગોલુ' સુધી, કોને કેટલા મળ્યા પૈસા?
ADVERTISEMENT
લેહમાં આવેલા પહેલા ભૂકંપનું કેન્દ્ર 36.88 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 74.402 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જણાવાયું હતું.ત્યારબાદ સવારે 9:54 વાગ્યે 4.3ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર 36.76 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.326 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. બંને ભૂકંપ લેહ વિસ્તારમાં જ નોંધાયા હતા.
લેહમાં પણ સતત આવેલા ભૂકંપના આંચકાથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. જોકે ત્યાં પણ તાત્કાલિક કોઈ મોટા જાનમાલના નુકસાનની માહિતી સામે આવી નહોતી.નાસિક અને લેહમાં ભૂકંપના આંચકા સામે આવ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વારંવાર આવતા આંચકાઓને કારણે લોકોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત વધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.