બ્રેકિંગ ન્યુઝ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
Manisha Jogi
Last Updated: 11:23 AM, 28 February 2024
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનામાં હેરાન કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. દુલ્હાની ગેરહાજરીમાં દુલ્હને જીજાજી સાથે લગ્ન કરી લીધા હતા. દુલ્હનની પોલ ખુલી જતા તેણે ઉતાવળમાં તેના સેંથાનું સિંદૂર લૂછી નાખ્યું હતું. અધિકારી લલિતા યાદવે જણાવ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
મંગળવારે સામૂહિક વિવાહ યોજના હેઠળ ઝાંસીની પોલિટેકનિક કોલેજના મેદાનમાં અનેક કપલના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન દુલ્હો લગ્નસ્થળે ના પહોંચતા દુલ્હનની સાથે તેના જીજાજી હતા તેના લગ્ન દુલ્હન સાથે કરાવી દેવામાં આવ્યા હતા. લગ્ન પછી દુલ્હને તેના સેંથાનું સિંદૂર લૂછી નાખ્યું હતું. દુલ્હા દુલ્હન સાથે અલગથી વાત કરવામાં આવી તો તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો.
શું છે સમગ્ર મામલો
27 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી સામૂહિક વિવાહ સમ્મેલન હતું. આ સંમેલનમાં અનેક કપલના લગ્ન કરાવવામાં આયા હતા. આ વિવાહ સમારોહમાં એક કપલ શંકાસ્પદ જોવા મળ્યું હતું, આ મામલે તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
ADVERTISEMENT
ઝાંસીના બામોરમાં રહેતી ખુશીના લગ્ન મધ્યપ્રદેશ છતરપુરના બૃષભાન સાથે નક્કી થયા હતા. સામૂહિક વિવાહ સમારોહમાં તેનો રજિસ્ટ્રેશન નંબર 36 હતો. ખુશીએ ફેરા ફર્યા પછી સેંથામાંથી સિંદૂર કાઢી નાખ્યું હતું. દુલ્હા સાથે વાત કરવામાં આવતા તેણે કબૂલ્યું હતું કે, તેનું નામ બૃષભાન નહીં પણ દિનેશ છે અને તે બામોરમાં રહે છે.
દિનેશે જણાવ્યું કે, બૃષભાન સાથે લગ્ન થવાના હતા પણ બૃષભાન આવ્યો ન હતો એટલા માટે કેટલાક લોકોએ કહેતા બૃષભાનની જગ્યાએ તે જ દુલ્હો બની ગયો હતો. જેમાં વિભાગીય અધિકારી અને કર્મચારી પણ શામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દુલ્હનનું નિવેદન
આ મામલે દુલ્હન તેનું નામ ખુશી અને છવિ એમ અલગ અલગ નામ કહે છે. દુલ્હન જણાવે છે કે, વરરાજા લગ્નમાં ના આવી શક્યો નહોતો. વરસાદ આવી રહ્યો હતો અને તે ખૂબ જ દૂર હતો. આ કારણોસર તેણે જીજાજી સાથે લગ્ન કરી લીધા. મને ખબર છે કે, આ બધુ ખોટું છે પણ અમારી પણ પ્રોબ્લેમ હતી. ફોર્મ ભરાઈ ગયું હતું, બધુ ઓનલાઈન થઈ ગયું હતું. હું મંડપમાં બેઠી હતી એટલા માટે લગ્ન કરવા પડ્યા. અધિકારી લલિતા યાદવે જણાવ્યું કરે, આ પ્રકારે ના થઈ શકે. જો આ પ્રકારે થયું હશે તો યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
વધુ વાંચો
Lok Sabha Elections 2024 / કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવાના કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, એક આરોપીની ધરપકડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT