બ્રેકિંગ ન્યુઝ
15-19 જાન્યુઆરી યોજાનારી શ્રેણીની આ નિર્ણાયક મેચમાં બંને ટીમો પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કરશે. જો કે, બંને ટીમો તેમના સ્ટાર ખેલાડીઓની ઈજા અને ગેરહાજરીથી પરેશાન છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાએ તેની પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરી દીધી છે
ઓસ્ટ્રેલિયાએ એક બદલાવ સાથે તેની પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરી દીધી છે. ભારતીય ટીમ તેના પ્લેઇંગ ઇલેવનને લઈને હજી પણ મૂંઝવણમાં છે. આ તમામ ચિંતાઓને દૂર કરવાના પ્રયાસરૂપે ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ ગુરુવારે મીડિયાને મળ્યા હતા.
ADVERTISEMENT
ખેલાડીઓની ઇજાઓ પર હજી નજર રાખવામાં આવી રહી છે
રાઠોડે પ્લેઇંગ ઇલેવન મુદ્દે કહ્યું કે ખેલાડીઓની ઇજાઓ પર હજી નજર રાખવામાં આવી રહી છે તેથી હું તમને વધુ કહેવાની સ્થિતિમાં નથી. અમે આવતીકાલે સવારે જ પ્લેઇંગ ઇલેવન વિશે જણાવી શકીશું. તેમણે કહ્યું કે અમે અમારા ખેલાડીઓને સંપૂર્ણ સમય આપવા માંગીએ છીએ અને તેઓ સતત તબીબી ટીમની દેખરેખ હેઠળ છે. અમે મેચની સવારે આ અંગે નિર્ણય લઈશું.
ADVERTISEMENT
જો બુમરાહ ફિટ હશે તો જ રમશે
જ્યારે રાઠોડને જસપ્રીત બુમરાહના રમવા અંગેના સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે આ બાબતે કંઈ પણ જણાવવાની ના પાડી. તેમણે આવતી કાલની રાહ જોવાનું કહ્યું અને કહ્યું કે અત્યારે દરેક વસ્તુ પર નજર રાખવામાં આવી રહી છે. રાઠોડે કહ્યું કે જો તે ફિટ છે તો તે ચોક્કસ જ રમશે અને જો તેને કોઈ સમસ્યા હશે તો તે રમશે નહીં.
ADVERTISEMENT
બુમરાહે પેટના માંસપેશીઓમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી
નોંધપાત્ર વાત એ છે કે આ પ્રવાસમાં ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે સિડની ટેસ્ટ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે ટીમની મુશ્કેલીઓ વધુ વધી ગઈ હતી. તે જ સમયે ત્રીજી ટેસ્ટમાં ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ અસ્વસ્થ હતો. તેણે તેના પેટના માંસપેશીઓમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું હતું કે બુમરાહ 50 ટકા ફીટ હશે તો જ મેચમાં પ્રવેશ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.