બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 04:38 PM, 8 May 2023
અમદાવાદને એક તરફ સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ અમુક વિસ્તારોમાં એકદમ ગ્રામ્ય કક્ષાની સુવિધાઓ છે. અમદાવાદના પોશ વિસ્તારમાં જોરદાર વિકાસ થઇ રહ્યો છે પરંતુ છેવાડાના વિસ્તારોમાં લોકો હજૂ પણ રોડ, ગટર અને પાણી માટે વલખા મારી રહ્યાં છે. અમદાવાદના જશોદાનગર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં હજૂ પણ પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ અને રોડની સમસ્યા વંચિત છે, જેને લઇ જનપ્રતિનિધિઓ પણ ધ્યાન આપતા ન હોવાથી સ્થાનિકોમાં ભારેભાર રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક સુવિધાઓ વર્ષો વિત્યા બાદ પણ મળી રહીં નથી.
અમદાવાદના જશોદાનગર ચોકડી નજીકની કેટલીક સોસાયટીઓમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણી માટે નળ કનેક્શન, સારા રોડ, સ્ટ્રીટ લાઇટો અને સફાઇ જેવી સુવિધાઓ મળે છે પરંતુ અમને આ પ્રકારની કોઇ પ્રાથમિક સુવિધાઓ વર્ષો વિત્યા બાદ પણ મળી રહીં નથી.
સ્થાનિકોઓએ શું કહ્યું ?
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જનપ્રતિનિધિઓ પણ જવાબ આપતા નથી જ્યારે રોડની રજૂઆત લઇને મનપાના અધિકારીઓ પાસે જઇએ છીએ તો અમને ડામર ન હોવાનો જવાબ મળે છે જ્યારે પાછળની બાજૂમાં કોર્પોરેટરનું ઘર હોવાથી ત્યા ડામર ન હોવા છતા રોડ બની રહ્યો છે. પીવાનું પાણી ન મળતુ હોવાથી મહિલાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ જણાવ્યુ હતુ કે, કેટલાય સમય પહેલા તંત્ર દ્વારા પીવાના પાણી માટે પાઇપલાઇન નાંખી હતી પરંતુ હજૂ સુધી અમને નળ કનેક્શન પણ મળ્યા નથી
સળગતા સવાલ
જશોદાનગરમાં પ્રાથમિક સવિધા કેમ નથી આપવામાં આવતી?
શું જશોદાનગર અમદાવાદમાં નથી આવતું?
AMCના સત્તાધીશો જશોદાનગરનો વિકાસ ક્યારે કરશે?
જશોદાનગરમાં ઘરે-ઘરે પાણી કેમ નથી મળતું?
જશોદાનગરના રોડ પણ સારા કેમ નથી બનતા?
ટેક્સ લેવામાં પાછીપાની ન કરનારા અધિકારીઓ સુવિધા આપવામાં કેમ પાછીપાની કરે છે?
શું AMC પાસે ડામર ખરીદવાના પણ રૂપિયા નથી?
કોર્પોરેટરે ચૂંટણી પહેલાં કરેલા વાયદાનું શું થયું?
શું કોર્પોરેટરે માત્ર ચૂંટણી જીતવા માટે જ વાયદા કર્યા હતા?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime