વિત્ત મંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત અનુસાર, મહિલા જનધન ખાતાધારકોને સોમવારથી 500 રૂપિયાનો બીજો હપ્તો મળવાનો શરૂ થઇ જશે. COVID 19 ના સંકટના સમયે ગરીબોની મદદ માટે સરકારે 3 મહિના સુધી મહિલા જનધન ખાતાધારકોના એકાઉન્ટમાં 500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
નિર્મલા સીતારમણે 26 માર્ચના આ વાતની જાહેરાત કરી હતી. ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી દેબાશીષ પાંડાએ મે મહિનાના બીજા હપ્તાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, બેંકોની શાખાઓમાં ભીડ ના થાય, એ વાતનું ધ્યાન રાખતા એક સમય નક્કી કરવામાં આવ્યો છે જે હેઠળ બેંક એકઆઉન્ટના છેલ્લા અંકના આધાર પર મહિલા જનધન ખાતાધારકો બેંકોમાંથી રૂપિયા ઉપાડી શકશે.
PM गरीब कल्याण पैकेज के तहत PMJDY के महिला खाता धारकों को Rs.500 की मई माह की किश्त बैंकों में भेजी जा रही है। पैसे पूरी तरह सुरक्षित हैं, बैंकों में भीड़ से बचने के लिए नीचे वाले समय सारणी अनुसार ब्रांच, CSP, बैंक मित्रों से रक़म लें। स्वस्थ रहे, सुरक्षित रहें। @FinMinIndiapic.twitter.com/OFsUwJwHIo
આ અનુસાર, જે મહિલા જનધન ખાતાધારકોના એકાઉન્ટના છેલ્લા અંક શૂન્ય અથવા એક, તેઓ 4 મેમાં રોકડ ઉપાડી શકશે. તો બીજી તરફ જે એકાઉન્ટ્સના છેલ્લે 2 અથવા 3 અંક આવે છે, તેઓ આ યોજના હેઠળ 5 મેના રૂપિયા નીકાળી શકે છે.આ જ રીતે જે લોકોના એકાઉન્ટના છેલ્લા ચાર અથવા પાંચ નંબર આવે છે, તેઓ 6 મેના રૂપિયા નીકાળી શકે છે. તો 6 અને 7 નંબર પૂરા થતા એકાઉન્ટ ધરાવતા ધારકો 8 મે અને 8 અને 9 નંબર છેલ્લે આવે છે તેઓ 11 મેના બીજો હપ્તો ઉપાડી શકશે.
દેબાશીષ પાંડાએ ટ્વીટ કરતા કહ્યુ કે, 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ મહિલા મે મહિનાના 500 રૂપિયાનો હપ્તો મોકલી દેવામાં આવશે, લાભાર્થીઓને વિનંતી છે કે તેઓ નિકાસી માટે બેંક અથવા તો CSPs માં જતા પહેલા શેડ્યૂલનું પાલન કરે. ATM તથા બેંક સહાયકોની મદદથી રૂપિયા નીકાળી શકાશે.''