બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Jabalpur Viral Video: People called the narmada devi to woman who is walking on Narmada river
Megha
Last Updated: 01:03 PM, 11 April 2023
સોશિયલ મીડિયા પર ભ્રામક વિડીયો વાયરલ થવો અને લોકો એમાં વિશ્વાસ કરી લે એ કોઈ નવી વાત નથી પણ ઘણી વખત આવા ભ્રામક વિડીયો આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેનું અંતર દૂર કરે છે. હાલ આવો જ એક કિસ્સો જબલપુર શહેરમાં સામે આવ્યો છે. બન્યું એવું કે માનસિક રીતે બીમાર મહિલાની લોકો નર્મદા દેવી માનીને પૂજા કરવા લાગ્યા હતા.
લોકોએ મહિલાને નર્મદા દેવી બનાવી દીધી
જણાવી દઈએ કે બે દિવસ પહેલા નર્મદા નદીમાં ચાલતી એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ મહિલાને ચમત્કાર માની તેને જોવા લોકો એકઠા થયા હતા. આ સાથે જ વિડીયો વાયરલ થતાં લોકોએ તે મહિલાને નર્મદા દેવી બનાવી દીધી હતી અને આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. સાથે જ aઅ બાદ હજારો લોકો એ મહિલાના દર્શન કરવા પંહોચ્યાં હતા.
અત્યારે મા નર્મદાની પરિક્રમા ચાલી રહી છે ત્યારે અચાનક લોકો એક મંદિરમાં ભેગા થવા લાગ્યા અને એક વૃદ્ધાના દર્શન કરવા લાગ્યા, કારણ પૂછવા પર લોકોએ વીડિયો બતાવ્યો અને કહ્યું કે જુઓ આ સાક્ષાત નર્મદા માતા જ છે કારણ કે તેઓ પાણી પર ચાલે છે. #vtvgujarati #narmada #Gujarat pic.twitter.com/lXEQrqp15q
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 11, 2023
મહિલાનું નર્મદા નદી પર ચાલવા પાછળનું સત્ય શું છે?
આ બધા પાછળ એક રહસ્ય એ હતું કે મહિલા છીછરા પાણીમાં ચાલી રહી હતી પણ નર્મદા દેવીનું સ્વરૂપ પાણી પર ચાલી રહ્યું છે આવી એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાંની સાથે જ લોકો એ રાતોરાત મહિલા નર્મદા દેવી બનાવી દીધી. થયું એવું કે આ પછી મહિલાના દર્શન કરવા લોકોની ભીડ હામી હતી અને લોકોને આ વિશે ખબર પડતાં તે મહિલાને મળવા નર્મદા ઘાટ પર પંહોચી આવ્યા હતા.
सोशल मीडिया जो ना कराये कम है.. जबलपुर में जिसे देवी मानकर पूज रहे थे,उसने खोली हकीकत...नर्मदा परिक्रमा पर निकली बुजुर्ग महिला ने कहा कि वह कोई देवी नहीं है.पानी मे चलने का वीडियो भ्रामक है जहाँ वो चल रही थी वहाँ पानी ही कम था.. @ABPNews @vivekbajpai84 @ajay_media @Anurag_Dwary pic.twitter.com/qV1q71ccqu
— Brajesh Rajput (@brajeshabpnews) April 9, 2023
જ્યોતિબાઈની માનસિક સ્થિતિ સારી નથી
સાથે જ એક સમયે એવી પરિસ્થતિ આવી લે જબલપુરના નર્મદા ઘાટ પર ભેગી થયેલી ભીડએ પોલીસ પ્રશાસનને પણ મુશ્કેલીમાં મુકી દીધું હતું. જો કે વૃદ્ધ મહિલાએ આ વિશે જણાવતા સત્ય બહાર આવ્યું. વાત એમ છે કે એએસપી શિવેશ સિંહ બઘેલે જણાવ્યું કે 51 વર્ષની મહિલાનું નામ જ્યોતિ બાઈ રઘુવંશી છે અને તે નર્મદાપુરમ જિલ્લાની રહેવાસી છે. પુત્રએ મે મહિનામાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે જ્યોતિબાઈની માનસિક સ્થિતિ સારી નથી. હાલ ખબર પડી કે મહિલા જાણ કર્યા વિના નર્મદા પરિક્રમા પર નીકળી ગઈ હતી.
પોલીસે જ્યોતિબાઈ રઘુવંશી સાથે પૂછપરછ કરી તો તેમાં તેને પોતે દેવી હોવાનું ભ્રામક જણાવ્યું હતું. તેને કહ્યું કે ન તો તે પાણી પર ચાલી શકે છે અને ન તો પાણીમાં નહાવાથી તેના કપડાં ભીના નથી થતાં. એક વાયરલ વીડિયોથી સોશિયલ મીડિયા પર અફવા ઉડી હતી. મહિલાએ પોતે ચમત્કાર બતાવે છે આ વિશે ઇનકાર કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime