બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / It has become difficult to breathe in many areas of Ahmedabad, passengers going to the airport should not miss the flight, even by mistake, do not leave this road of Ahmedabad today...
Vishal Khamar
Last Updated: 11:52 PM, 19 November 2023
સમગ્ર દેશવાસીઓ છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહી છે. ત્યારે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દેશ વિદેશનાં અનેક મહેમાનો તેમજ અન્ય રાજ્યોનાં મુખ્યમંત્રી, બોલિવૂડ સ્ટાર, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, ઓસ્ટ્રેલિયાનાં ડેપ્યુટી PM પણ ડેલિગેશન સાથે આવશે. 8 રાજ્યનાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, સિંગાપોર, US, UAE ના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેશે. વર્લ્ડ કપમાં આવનાર VVIP મહેમાનોને લઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે ખરાખરીનો જંગ....
#SVPIAirport expects heavy traffic for the World Cup final. Please allocate extra time for travel procedures and check your flight schedules due to airspace closure on 17th & 19th November, 13:25 to 14:10 hours. Your safety is our top priority. Thank you for your cooperation. pic.twitter.com/jFnjw7eVDw
— Ahmedabad Airport (@ahmairport) November 17, 2023
VVIP મહેમાનોના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત છે. આ મેચને જોવા માટે દુર દુરથી લોકો આવી રહ્યાં છે. આજે બપોરે 1:25થી 2:10 વાગ્યા સુધી એર ટ્રાફિક બંધ કરવામાં આવશે. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમના એર-શૉને લઈ એર ટ્રાફિક બંધ રાખવામાં આવશે.મુસાફરોને ચેક-ઈન સમયથી 2 કલાક વહેલા પહોંચવા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ પ્લેન ઉતરશે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પર નાઈટ પાર્કિંગ માટે 15 સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP - 2023 ની કૂલ ૫-મેચો રમાનાર હોય જે મેચો દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.@sanghaviharsh @GujaratPolice pic.twitter.com/tGoJDukXqm
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 17, 2023
વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
તા.૧૯ રવિવાર ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા વી. ઓસ્ટ્રેલીયા વર્લ્ડ કપ-૨૦૨૩ ફાઇનલ ક્રિકેટ મેચના કાર્યક્રમ અનુસંધાને બી.આર.ટી.એસ, બસ ક્રિકેટર રસીકોને સ્ટેડિયમ પહોંચાડશે.#amc #amcforpeople #cricket #worldcup #transport #services #ahmedabadcity #municipalcorporation pic.twitter.com/m7FxrriYSq
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) November 17, 2023
વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે અદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારે આ સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાના છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ફાઈનલ મેચને લઈ સવારે 6.20થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ અપાશે. રવિવારે ફાઈનલ મેચ છે ત્યારે એએમટીએસ અને બીઆરટીએસની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે
રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણના લીધે વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને હાલાકી પડી છે. આ તરફ આજે અમદાવાદમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરા 18.6 ડિગ્રી, ભુજમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે, કચ્છના નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. તેમજ નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે.
દિવાળીનો તહેવાર સનાતન ધર્મમાં મોટો તહેવાર ગણાય છે. જે તહેવાર લોકો પોતાના વતનમાં ઉજવવાનો વધુ પસંદ કરે છે. જેને લઈ રેલવે, એસ ટીમાં લોકો મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે ત્યારે સુરત ST વિભાગને દિવાળીના તહેવાર ફળ્યા છે. ST વિભાગને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ છે
અમદાવાદના અનેક વિસ્તારોમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં AQI 300ને પાર પહોંચ્યો છે. આ તરફ મણિનગરમાં 260, નવરંગપુરામાં 210, રખિયાલમાં 209 AQI નોંધાયો છે. કઠવાડામાં 220, સોનીની ચાલી 210 તો એરપોર્ટનો વાયુ સુચક આંક 185 છે તો અમદાવાદના ગ્યાસપુરમાં AQI 204 નોંધાયો છે. નોંધનીય છે કે, 200થી ઉપરનો AQI આંક ધરાવતી હવા માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક મનાય છે.
રાજકોટ શહેરમાં ખળભળાટ મચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું અપહરણ થયું હોવાનુ બહાર આવ્યું છે. આ મામલો ધ્યાને આવતા જ હાલ તરહતરહની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે અજાણ્યા શખ્સોએ મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું અપહરણ કર્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. હાલ આ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉત્તર પ્રદેશમાં તાત્કાલિક અસરથી હલાલ પ્રમાણિત ખાદ્ય ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, રાજ્યમાં હલાલ પ્રમાણપત્ર સાથેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે . એવી ફરિયાદ મળી હતી કે કેટલીક કંપનીઓ હલાલ તરીકે પ્રમાણિત કર્યા પછી રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ વેચી રહી છે. આ કોઈ ચોક્કસ પ્રોડક્ટનું વેચાણ વધારવા અને આર્થિક લાભ આપવા માટે કરવામાં આવી રહ્યું છે.
કોવિડ-19ની ભારતીય વેક્સિન બનાવનારા 82 વર્ષીય સાયરસ પૂનાવાલાને હાર્ટઅટેક આવ્યો છે. માહિતી અનુસાર તેઓ હાલમાં પૂણેની એક હોસ્પિટલમાં દાખલ છે. ટ્રીટમેન્ટ દરમિયાન તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલમાં પૂનાવાલાની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી રશિયન મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા છે કે રશિયન સરકાર ભારત સાથે સંયુક્ત રીતે Su-57 ફાઈટર જેટ બનાવવા માંગે છે. તેણે આ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને પણ પ્રસ્તાવ મોકલ્યો છે. આ ફાઈટર જેટ દુનિયાના દસ સૌથી ખતરનાક ફાઈટર જેટમાં બીજા ક્રમે આવે છે. ભારત આ પ્રોજેક્ટમાં કોઈ રસ લઈ રહ્યું નથી. કારણ કે તેના પોતાના ફાઈટર જેટ્સ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ચિંતાનો પ્રથમ વિષય સુખોઈ Su-57 ફાઈટર જેટનું પ્રદર્શન છે. શું આ પાંચમી પેઢીનું ફાઈટર જેટ ભારત માટે યોગ્ય રહેશે? કારણ કે ભારત પોતે સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) બનાવવામાં વ્યસ્ત છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime