બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / issue-of-mithi-virdi-nuclear-power-plant-in-bhavnagar

NULL / મીઠીવીરડી ખાતે સ્થાપનારો અણુપ્લાન્ટ રદ્ નથી થયો આંદોલન થતા ખસેડાયો

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભાવનગરઃ મીઠીવીરડી ખાતે સ્થાપનારો અણુપ્લાન્ટ રદ નથી થયો. પરંતુ અન્ય જગ્યાએ ફેરવવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર શહેર અને જીલ્લાની જનતામાં લોક જાગૃતિ લાવીને આ પ્લાન્ટ ફરી ભાવનગર આવી શકે છે. તેમ પરમાણુ ઉર્જા જાગૃતિ મહોત્સવની સભ્ય નીલમ ગોયલે જણાવ્યું હતું.

જો કે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી અહિંયા પ્લાન્ટ ન સ્થપાય તે માટેનું આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે નીલમ ગોયલ દ્વારા મીઠીવીરડીના અણુ પ્લાન્ટ સંદર્ભેની તરફેણ કરતા આ મામલે ફરી એકવાર આંદોલન છેડાઈ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. અંદાજે 750 હેકટર જમીનમાં 6 હજાર મેગાવોટના ન્યુક્લીયર પાવર પ્લાન્ટ માટે સરકારે અગાઉ જાહેરાત કરીને જમીનની પસંદગી કરી હતી.

પરંતુ અહીના ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. અને તેની સામે આંદોલન છેડતા હાલ આ પ્લાન્ટ અન્ય જગ્યાએ બનાવવાની જાહેરાત કરાઇ છે. મહિલા આગેવાન નીલમ ગોયલે આ પ્લાન્ટની તરફેણ કરવા માટે છેલ્લા 5 મહિનાથી ભાવનગરમાં પડાવ નાખ્યો છે. અને હવે તેઓ લોકજાગૃતિ માટે આગામી 24 એપ્રિલે ભાવનગરમાં વિશાલ રેલી યોજશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ