બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ISRO Chief S Somanth decided not to publish his autobiography after the controversy occurred
Vaidehi
Last Updated: 10:04 AM, 5 November 2023
ISRO ચીફ એસ.સોમનાથે વિવાદોમાં વધવાને લીધે પોતાની આત્મકથા નિલાવુ કુડિચા સિમ્હંલ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોમનાથે પોતાનાં પુસ્તકમાં ઘણી એવી વાતો લખી છે જેમાં તેમણે પૂર્વ ઈસરો ચીફ કે.સિવનની આલોચના કરી છે. આ પુસ્તકનાં અંગ્રેજી અનુવાદનું નામ લાયંસ ધેટ ડ્રિંગ ધ મૂનલાઈટ છે. જો કે એસ.સોમનાથે હાલમાં આ પુસ્તક પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે.
પૂર્વ ઈસરો ચીફ પર લગાડ્યો હતો આરોપ
પોતાની આત્મકથામાં ઈસરો પ્રમુખ Dr.S.Somnathએ પૂર્વ ઈસરો ચીફ K.Sivan પર એક આરોપ લગાડતાં લખ્યું કે સિવને તેમના ઈસરો પ્રમુખ બનવાની પ્રક્રિયામાં વિઘ્ન ઊભા કર્યાં હતાં. સિવન નહોતા ઈચ્છતાં કે સોમનાથ ઈસરોનાં પ્રમુખ બને. આ આરોપ સોમનાથે પોતાના જીવન આધારિત પુસ્તર Nilavu Kudicha Simhangalમાં લખ્યો છે.
સોમનાથે આ અંગે કરી સ્પષ્ટતા
આ વિષયે જ્યારે સોમનાથને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મીડિયાને જણાવ્યું કે," દરેક વ્યક્તિને કોઈપણ સંસ્થાનમાં સૌથી ઉચ્ચ પદ પર પહોંચવા માટે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક પડકારોને પાર કરવું પડે છે. એવી જ સમસ્યાઓ તેમની પણ સામે આવી છે. તેમણે કહ્યું કે મેં મારા જીવનમાં આવેલા પડકારો વિશે લખ્યું પણ છે. કોઈ પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. એ કોઈ એક વ્યક્તિની વિરોધમાં નથી. કોઈપણ એક ઊંચા પદ માટે અનેક વ્યક્તિઓ લાયક હોય છે. હું બસ આ મુદા પર લખી રહ્યો હતો. મેં કોઈપર પણ વ્યક્તિગત ધોરણે નિશાન નથી સાધ્યું. "
ચંદ્રયાન-2 ફેલ થવા પર પણ કર્યો ખુલાસો
સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-2 મિશન ઊતાવળનાં ચક્કરમાં ફેલ થયું કારણકે તેને લઈને જેટલા ટેસ્ટ થવા જોઈતા હતાં તે નહોતા થયાં. તેમણે કહ્યું કે તેમનાં આ પુસ્તકમાં ચંદ્રયાન-2 ફેલ થવાના કારણો પણ લખેલા છે. ચંદ્રયાન-2નાં ફેલ થવાની ઘોષણાનાં સમયે જે ભૂલો થઈ હતી તે છુપાડવામાં આવી હતી. સોમનાથ એવું માને છે કે જે જેવી રીતે થઈ રહ્યું છે તેને તેવી જ રીતે દર્શાવવું જોઈએ. સત્ય લોકોની સામે આવવું જોઈએ. તેનાથી સંસ્થાનમાં પારદર્શિતા આવે છે. તેથી પુસ્તકમાં ચંદ્રયાન-2ની વિફળતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime