બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ISRO Chief S Somanth decided not to publish his autobiography after the controversy occurred

નિર્ણય / પબ્લિશ નહીં થાય ISRO ચીફ એસ સોમનાથની આત્મકથા: સિવનથી લઈને ચંદ્રયાન-2 મામલે કરેલા દાવા બાદ થયો હતો વિવાદ

Vaidehi

Last Updated: 10:04 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISRO ચીફ એસ. સોમનાથની ઑટોબાયોગ્રાફી બુક પબ્લિશ નહીં થાય. દાવો કરવામાં આવી રહ્યો છે કે સોમનાથની આત્મકથામાં પૂર્વ ચીફ કે.સિવન અને ચંદ્રયાન-2ને લઈને ગંભીર બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • ISRO ચીફ એસ.સોમનાથે લીધો નિર્ણય
  • પોતાની ઑટોબાયોગ્રાફી હાલમાં પબ્લિશ નહીં કરે
  • વિવાદોમાં અટવાયા બાદ સોમનાથે લીધો નિર્ણય

ISRO ચીફ એસ.સોમનાથે વિવાદોમાં વધવાને લીધે પોતાની આત્મકથા નિલાવુ કુડિચા સિમ્હંલ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે.  મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોમનાથે પોતાનાં પુસ્તકમાં ઘણી એવી વાતો લખી છે જેમાં તેમણે પૂર્વ ઈસરો ચીફ કે.સિવનની આલોચના કરી છે. આ પુસ્તકનાં અંગ્રેજી અનુવાદનું નામ લાયંસ ધેટ ડ્રિંગ ધ મૂનલાઈટ છે. જો કે એસ.સોમનાથે હાલમાં આ પુસ્તક પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે.

પૂર્વ ઈસરો ચીફ પર લગાડ્યો હતો આરોપ
પોતાની આત્મકથામાં ઈસરો પ્રમુખ Dr.S.Somnathએ પૂર્વ ઈસરો ચીફ K.Sivan પર એક આરોપ લગાડતાં લખ્યું કે સિવને તેમના ઈસરો પ્રમુખ બનવાની પ્રક્રિયામાં વિઘ્ન ઊભા કર્યાં હતાં. સિવન નહોતા ઈચ્છતાં કે સોમનાથ ઈસરોનાં પ્રમુખ બને. આ આરોપ સોમનાથે પોતાના જીવન આધારિત પુસ્તર Nilavu Kudicha Simhangalમાં લખ્યો છે.

સોમનાથે આ અંગે કરી સ્પષ્ટતા
આ વિષયે જ્યારે સોમનાથને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મીડિયાને જણાવ્યું કે," દરેક વ્યક્તિને કોઈપણ સંસ્થાનમાં સૌથી ઉચ્ચ પદ પર પહોંચવા માટે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક પડકારોને પાર કરવું પડે છે. એવી જ સમસ્યાઓ તેમની પણ સામે આવી છે. તેમણે કહ્યું કે મેં મારા જીવનમાં આવેલા પડકારો વિશે લખ્યું પણ છે. કોઈ પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. એ કોઈ એક વ્યક્તિની વિરોધમાં નથી. કોઈપણ એક ઊંચા પદ માટે અનેક વ્યક્તિઓ લાયક હોય છે. હું બસ આ મુદા પર લખી રહ્યો હતો. મેં કોઈપર પણ વ્યક્તિગત ધોરણે નિશાન નથી સાધ્યું. "

ચંદ્રયાન-2 ફેલ થવા પર પણ કર્યો ખુલાસો
સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-2 મિશન ઊતાવળનાં ચક્કરમાં ફેલ થયું કારણકે તેને લઈને જેટલા ટેસ્ટ થવા જોઈતા હતાં તે નહોતા થયાં. તેમણે કહ્યું કે તેમનાં આ પુસ્તકમાં ચંદ્રયાન-2 ફેલ થવાના કારણો પણ લખેલા છે. ચંદ્રયાન-2નાં ફેલ થવાની ઘોષણાનાં સમયે જે ભૂલો થઈ હતી તે છુપાડવામાં આવી હતી. સોમનાથ એવું માને છે કે જે જેવી રીતે થઈ રહ્યું છે તેને તેવી જ રીતે દર્શાવવું જોઈએ. સત્ય લોકોની સામે આવવું જોઈએ. તેનાથી સંસ્થાનમાં પારદર્શિતા આવે છે. તેથી પુસ્તકમાં ચંદ્રયાન-2ની વિફળતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ