બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 12:12 AM, 14 June 2026
1/7
હિન્દુ ધર્મમાં સાપ માત્ર એક જીવ જ નથી પણ પવિત્ર પણ માનવામાં આવે છે. એટલા માટે નાગ પંચમી અને મહાશિવરાત્રી જેવા શુભ પ્રસંગોએ સાપની પૂજા કરવામાં આવે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હથેળી પર સાપ જેવું ચિહ્ન શુભ અને અશુભ બંને પ્રભાવો દર્શાવે છે. હસ્તરેખાશાસ્ત્રીઓ માને છે કે જ્યારે વ્યક્તિની હથેળી પરની રેખાઓ સાપ જેવો આકાર હોય છે ત્યારે તે સામાન્ય નથી હોતું. તેની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હથેળી પર સાપ જેવું ચિહ્ન શુભ અને અશુભ બંને પ્રભાવો દર્શાવે છે. જેમાં પરિણામ સારું કે ખરાબ આવશે તે સાપ રેખાના સ્થાન પર આધાર રાખે છે. આ કરવા માટે એ જોવું જરૂરી છે કે આંગળી નીચે કયા પર્વતની નજીક સાપ રેખા સ્થિત છે.
2/7
અંગૂઠા નીચેના વિસ્તારને શુક્ર પર્વત કહેવામાં આવે છે. તે જીવનમાં પ્રેમ, આકર્ષણ, વૈવાહિક જીવન અને ભૌતિક સુખ-સુવિધાઓનું પ્રતિનિધિત્વ કરે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો શુક્ર પર્વતની નજીકની રેખા સાપ જેવો આકાર બનાવે છે તો તે જીવનમાં સુખ સુવિધા અને સંપત્તિ દર્શાવે છે. જો કે આવા લોકો ઘણીવાર વૈવાહિક સમસ્યાઓનો સામનો કરે છે.
3/7
તર્જની નીચે સ્થિત ગુરુ પર્વત જ્ઞાન, શિક્ષણ અને આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું મનાય છે કે જો હથેળીમાં આ બિંદુ પર કોઈ રેખા સાપ બનાવે તો વ્યક્તિ બુદ્ધિશાળી, વિદ્વાન અને ખુબ પ્રતિભાશાળી બને છે. આવા લોકો અભ્યાસમાં ખૂબ જ સારા હોય છે અને પોતાની બુદ્ધિ અને સ્કિલ દ્વારા જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે.
4/7
મધ્યમ આંગળી નીચે સ્થિત શનિ પર્વતને ભાગ્ય અને કર્મ સાથે સંકળાયેલ માનવામાં આવે છે. આ સ્થાન પર સાપનું નિશાન વ્યક્તિને મોટી સંપત્તિ અને ભૌતિક સમૃદ્ધિ લાવી શકે છે. પણ જો સાપનો આકાર બેવડો હોય, તો તેના પરિણામો વિપરીત આવી શકે છે. આવી સ્થિતિમાં ખરાબ આદતોને લીધે વ્યક્તિ પોતાની સંપત્તિ પણ ગુમાવી શકે છે.
5/7
અનામિક આંગળી નીચે સ્થિત સૂર્ય પર્વત પર સાપનો આકાર શુભ સંકેત માનવામાં આવતો નથી. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હથેળી પર આવા સાપ આકારનું નિશાન તમારી પ્રગતિ અને સફળતામાં અવરોધ લાવે છે. અનામિક આંગળી નીચે આવા સાપ આકારના નિશાનને સૂર્યગ્રહણ પર ગ્રહણ લાગનાર જેવું માનવામાં આવે છે
6/7
કનિષ્ટ આંગળી નીચે સ્થિત બુધ પર્વત વ્યવસાય, બુદ્ધિ અને વાતચીત સ્કિલનું પ્રતિનિધિત્વ કરે છે. જો આ સ્થાન પર સાપનું નિશાન હોય તો વ્યક્તિ માનસિક રીતે મજબૂત અને દૃઢ નિશ્ચયી હોય છે. આવા લોકો તેમના નિર્ણયોમાં અડગ હોય છે. તેઓ જીવનમાં તેમના ભવિષ્યના માર્ગો વિશે ખૂબ જ સ્પષ્ટ હોય છે. તેમની પાસે વ્યવસાય કે વેપારમાં સારી એવી સફળતા મેળવવાની ક્ષમતા પણ હોય છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ