બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
30 મેનાં રોજ સમાપ્ત થશે
ભારતીય ટીમનાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આઈપીએલનો નેક્સ્ટ ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યો છે. બીસીસીઆઈનાં એક સુત્ર પ્રમાણે આઈપીએલ 2021ની સિરીઝ 9 એપ્રિલથી શરુ થશે અને 30 મેનાં રોજ સમાપ્ત થશે.
ADVERTISEMENT
અમદાવાદમાં યોજાશે આઈપીએલ
ADVERTISEMENT
આગામી સપ્તાહે સંચાલન સમિતીની બેઠકમાં તારીખ અને સ્થળોની ઔપચારિક મંજૂર મળી જશે. કોવિડ-19 મહામારીનાં પ્રભાવને ઓછો કરવા માટે બીસીસીઆઈએ હાલની પરિસ્થિતિમાં આઈપીએલની મેચો પાંચ શહેરો ચેન્નાઈ, કોલકાતા, બેંગાલુરુ, દિલ્હી અને અમદાવાદમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે નિર્ણય
ADVERTISEMENT
મુંબઈ શહેરની મેચો માટે મંજૂરી લેવામાં આવશે કેમકે મહારાષ્ટ્રમાં છેલ્લા અમુક દિવસોથી કોવિડ-19નાં કેસમાં વધારો જોવા મળ્યો છે. ચેન્નાઈ અને કોલેકાતામાં મેચોનું વિતરણ આગામી સપ્તાહોમાં થનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
ADVERTISEMENT
યુએઈમાં બાયો બબલમાં આયોજિત કરવામાં આવી હતી
આઈપીએલની ગત 2020ની સિઝન યુએઈમાં બાયો બબલમાં આયોજિત કરવામાં આવી હતી. જેને મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી, ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ્સમાં પહોંચી હોવાને લીધે આ વર્ષે ભારતમાં જૂનમાં થનાર એશિયા કપને પણ રદ કરી દેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.