બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ આ મેચ કેન્સલ કરી દેવાઈ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. એવું માનવામાં આવે છે કે કેકેઆરના કેમ્પમાં કોવિડ -19ને લગતી સમસ્યાઓના કારણે આ મેચ મોકૂફ કરવામાં આવી છે. જ્યારે ક્રિકઇન્ફોના સમાચાર મુજબ આ મેચને રિશેડ્યૂલ કરી દેવામાં આવી છે. એએનઆઈના સમાચાર મુજબ, કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર કોરોના સંક્રમિત થયા છે.
BREAKING: Today's IPL game between KKR and RCB set to be postponed. #IPL2021 https://t.co/eipujbmTfM
— Cricbuzz (@cricbuzz) May 3, 2021
ADVERTISEMENT
BREAKING: Tonight's IPL match between the Kolkata Knight Riders and Royal Challengers Bangalore has been rescheduled #IPL2021
— ESPNcricinfo (@ESPNcricinfo) May 3, 2021
ADVERTISEMENT
આઇપીએલનું આયોજન બાયો સિક્યોર એન્વાયર્નમેન્ટમાં કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આઈપીએલની 29 મેચ રમાઈ ચૂકી છે અને કોઈપણ મેચના આયોજનમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ આવ્યો નથી. બીસીસીઆઈ અથવા આઈપીએલ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. જો સમાચારોની માનીએ તો આજે બપોર સુધીમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને આ મેચ કઈ તારીખે રમાશે એ પણ જણાવવામાં આવશે. આરસીબીએ સાત મેચ રમી છે અને પાંચ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ કેકેઆરના ખાતામાં સાત મેચમાંથી ફક્ત બે જીત છે અને આ ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.