બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:40 PM, 1 September 2024
દુનિયાભરમાં આતંકવાદ ફેલાવવામાં માહેર એવા પાકિસ્તાન જેવા પાડોશીઓથી ઘેરાયેલા અને અન્ય દેશોની જમીન પર કબજો જમાવી રહેલા ચીન કરતાં ભારતની તાકાત વધી છે. ઈન્ડીયન નેવીમાં બીજી પરમાણુ બેલાસિટ્ક મિસાઈલ INS અરિઘાતને સામેલ કરવામાં આવી છે જે પછી ચીન અને પાકિસ્તાને ભારતના મોકળા મને વખાણ કર્યાં છે. બન્ને દેશોના ડિફેન્સ એક્સપર્ટ્સે ભારતની વધતી જતી તાકાતનો સ્વીકાર કર્યો છે. ત્યાં સુધી કે એક પાકિસ્તાની નિષ્ણાંતે તો ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પણ મોકળા મને વખાણ કરી દીધો હતો.
ADVERTISEMENT
🚢 Proud Moment for Marine Electricals! 🇮🇳
— Marine Electricals (@MEIPL_India) August 31, 2024
We are honored to contribute to INS Arighat, India's second Arihant-Class nuclear-powered missile submarine, commissioned in Visakhapatnam in the presence of Union Defence Minister Rajnath Singh.⚓️#MarineElectricals #INSAarighat pic.twitter.com/6uEdkQtx1Q
રાજનાથ સિંહ ખૂબ મજબૂત છે-પાકિસ્તાની એક્સપર્ટ
ADVERTISEMENT
પાકિસ્તાની સંરક્ષણ નિષ્ણાત કમર ચીમાએ તેમની યુટ્યુબ ચેનલ પર INS અરિઘાત વિશે વાત કરતાં કહ્યું કે ભારત જમીન, હવા અને સમદ્ર એમ ચારે તરફથી એટેક કરવા સક્ષમ છે. ભારત નેવીમાં ઘણા પૈસા રોકવા જઈ રહ્યું છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકામાં નેવલ સરફેસ વોર સેન્ટરની મુલાકાત લીધી હતી. કમર ચીમાએ ભારતની તાકાતનો સ્વીકાર કરતા કહ્યું કે, રક્ષા મંત્રી સબમરીનને સામેલ કરવાના કાર્યક્રમમાં આવ્યા હતા. જો કે, આ એક મોટી વાત હતી, જેમાં પીએમ પણ આવી શક્યા હોત, પરંતુ તેઓ ન આવ્યા. આનો અર્થ એ થયો કે ભારતના સંરક્ષણ પ્રધાન ખૂબ જ મજબૂત છે અને બીજો અર્થ એ છે કે સંદેશ આપવામાં આવ્યો છે કે વડા પ્રધાન ફક્ત પરમાણુ સબમરીન માટે નહીં આવે.
Reports : #IndianNavy to commission it's second nuclear-powered ballistic missile submarine (INS Arighat) in the next few months. pic.twitter.com/VByd91jri6
— News IADN (@NewsIADN) August 11, 2024
ADVERTISEMENT
ચીનના નિષ્ણાતોએ શું કહ્યું
ચીની સરકારી માલિકીના મીડિયા એવા ગ્લોબલ ટાઈમ્સે તેના એક લેખમાં કહ્યું કે ભારતે બીજી ન્યુક્લિયર મિસાઈલ સબમરીનનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ગ્લોબલ ટાઈમ્સના રક્ષા પત્રકાર લિયુ ઝુઆનજુને કહ્યું કે વધુ પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ સબમરીનથી ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતા વધી છે, પરંતુ તેનો ઉપયોગ કરવાની જવાબદારી પણ હોવી જોઈએ. . નિષ્ણાતે કહ્યું કે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રો અસ્તિત્વમાં છે ત્યાં સુધી તેનો ઉપયોગ શાંતિ અને સ્થિરતાના રક્ષણ માટે થવો જોઈએ, તાકાત બતાવવા અથવા પરમાણુ બ્લેકમેલનો ઉપયોગ કરવા માટે નહીં.
ADVERTISEMENT
વધુ વાંચો : ચીન-પાક. માટે અરિ'ઘાત' ! નેવીને મળી બીજી પરમાણું સબમરિન, 750 કિમીના ટાર્ગેટનો ખાતમો
INS અરિઘાતની શું વિશેષતાઓ?
ADVERTISEMENT
INS અરિઘાત અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલીઓ અને સાધનોથી સજ્જ છે જેની લંબાઈ 112 મીટર, પહોળાઈ 11 મીટર અને તેનું વજન 6 હજાર ટન છે. સબમરીન ઘાતક K-15 મિસાઇલોથી સજ્જ છે જે 750 કિલોમીટર સુધીના ટાર્ગેટને ભેદી શકે છે. તેની વિશેષતા એ છે કે તે દુશ્મનને થાપ આપીને પકડાયા વગર એટેક કરી શકે છે. સબમરીન દોઢ હજાર ફૂટથી વધુ ઊંડાઈ સુધી પાણીમાં જઈ શકે છે. પરમાણુ રિએક્ટરને કારણે, આ સબમરીન પરંપરાગત સબમરીન કરતાં મહિનાઓ સુધી પાણીની અંદર રહી શકે છે. અરિઘાત પાસે 83 મેગાવોટના હળવા પાણીના રિએક્ટર છે જેમાંથી તેઓ સંચાલિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.