બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:14 PM, 1 September 2024
વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં એક નવો મામલો ઉછળ્યો છે. સિંધદૂર્ગમાં આવેલી શિવાજી મહારાજીની 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી જવાનો મામલો જોરજોરથી ઉઠ્યો છે અને આ મામલે શિવસેના (યુબીટી) પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરની આગેવાનીમાં 'જોડે મારો' (ચંપ્પલ મારો) આંદોલન શરુ કરાયું છે.
ADVERTISEMENT
#WATCH | MVA (Maha Vikas Aghadi) holds a protest march in Mumbai from Hutatma Chowk to Gateway of India, over Chhatrapati Shivaji Maharaj's statue collapse incident.
— ANI (@ANI) September 1, 2024
NCP-SCP chief Sharad Pawar, Shiv Sena (UBT) chief Uddhav Thackeray, Maharashtra Congress chief Nana Patole and… pic.twitter.com/Nr1aGhCMTA
પીએમ મોદીની માફી બાદ મામલો વધુ ગરમાયો
ADVERTISEMENT
આ મામલે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ માફી માંગી છે. પીએમ મોદીની માફી બાદ મામલો શાંત થવાને બદલે વધુ ગરમાયો હતો. જ્યારે મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે SITની રચના કરી છે, ત્યારે મહા વિકાસ અઘાડી ગઠબંધને સરકારે સામે મોરચો ખોલ્યો છે. શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે અને NCP (શરદ પવાર) ચીફ શરદ પવાર પણ હુતાત્મા ચોકથી શરૂ થનારી આ કૂચમાં ભાગ લીધો હતો. વિપક્ષે આ વિરોધને 'જોડે મારો' વિરોધ નામ આપ્યું છે. તેનો અર્થ છે 'ચપ્પલ વડે મારવું'. શિવસેના તરફથી કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના સ્વાભિમાનને જાગૃત કરવા તેઓ શિવાજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે. શરદ પવારના જૂથ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભ્રષ્ટ શિવ દેશદ્રોહીઓને બક્ષવામાં આવશે નહીં. કોંગ્રેસના મહારાષ્ટ્ર યુનિટે કહ્યું છે કે શિવ દેશદ્રોહીઓને પાઠ ભણાવવા માટે આ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Congress Kolhapur MP Chhatrapati Shahu Maharaj and Sharad Pawar Protest against BJP Government on Chhatrapati Shivaji Maharaj Statue Collapse.
— Ashish Singh (@AshishSinghKiJi) September 1, 2024
Jai Shivray 🚩 pic.twitter.com/tO6EgOiDVA
ADVERTISEMENT
શું બોલ્યાં ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ એવું કહ્યું કે શું તમે પ્રધાનમંત્રીની માફીમાં અહંકાર જોયો? પીએમ શેના માટે માફી માગી રહ્યાં છે. આઠ મહિના તેમણે ઉદ્ધાટન કરેલી મૂર્તિ વિશે કે તેના ભ્રષ્ટાચાર વિશે. મૂર્તિ તૂટી પડવી મહારાષ્ટ્રના આત્માનું અપમાન છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : બાટલો ચઢાવતી વખતે નર્સના પ્રાઈવેટ પાર્ટનો ટચ કર્યો, સાંભળી ન શકાય તેવું બોલ્યો
શું બન્યું હતું
ADVERTISEMENT
મહારાષ્ટ્રના સિંધદુર્ગ કિલ્લામાં આવેલી શિવાજી મહારાજની 35 ફુટ ઊંચી પ્રતિમા ભારે વરસાદ અને પવનને કારણે તૂટી પડી હતી જેમાં મૂર્તિને ઘણું નુકશાન થયું હતું જે પછી મહારાષ્ટ્રમાં આ મામલો ચગ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.