દુનિયાભરમાં કોરોના વાયરસની વધતી મુશ્કેલીને જોઇને Indigo એ પોતાની તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને 30 એપ્રિલ સુધી કેન્સલ કરી દીધી છે. એરલાઇન્સની તરફથી મળતી જાણકારી અનુસાર, જે યાત્રીઓએ 30 એપ્રિલ સુધી કોઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ટિકિટ બુક રાખી છે તો તેની પૈસા Credit shell માં સુરક્ષિત રાખવામાં આવશે.
ટિકિટ રદ્દ થતા જ Indigo ભાડાની રકમ ગ્રાહકના નામથી એક વૉલેટમાં એડ કરી દેશે
વૉલેટનું બેલેન્સ યાત્રી Indigo ની વેબસાઇટ પર એડિટ બુકિંગ ઑપ્શનમાં જઇને જોઇ શકે છે
વૉલેટમાં મળશે રિફન્ડ
એરલાઇન્સની તરફથી મળતી જાણકારી અનુસાર, જે યાત્રીઓ સફર કરવાના હતા, તેમને Credit shell ની મદદથી આગામી વર્ષ સુધી કોઇ પણ દિવસે યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકશો. યાત્રીઓએ જે દિવસે ટિકિટ બુક કરાવી હતી, ત્યારથી આગામી એક વર્ષ માટેનો સમય મળશે.
ટિકિટ રદ્દ થતા જ Indigo ના ભાડાની રકમ ગ્રાહકોના નામથી એક વૉલેટમાં એડ કરવામા આવશે. વૉલેટનું બેલેન્સ કોઇ પણ યાત્રી Indigo ની વેબસાઇટથી એડિટ બુકિંગના ઑપ્શનમાં જોઇ શકશે.
હવે યાત્રીઓને નવી બુકિંગ કરતા સમયે Credit shell option સિલેક્ટ કરવાનો રહેશે. વધારે જાણકારી માટે Indigo એરલાઇન્સની વેબસાઇટ પર એડિટ બુકિંગ સેક્શન પર જઇને પોતાનો Credit shell બેલેન્સ જોઇ શકાશે.
તમને જણાવી દઇએ કેર ,Credit shell એક પ્રકારની ક્રેડિટ નોટ હોય છે. જેથી કેન્સલ કરવામાં આવેલા PNR ની સામે જારી કરવામાં આવે છે, જેનાથી ભવિષ્યમાં બુકિંગમાં તેનો ઉપયોગ કરી શકાય. આ પહેલા વિમાનન કંપની Air India એ 30 એપ્રિલ સુધી ટિકિટ બુકિંગ કેન્સલ કરી દીધી હતી. કંપનીએ કહ્યુ કે, 14 એપ્રિલના લૉકડાઉન પૂરુ થઇ રહ્યુ છે જેની રાહ જોવામાં આવી રહી છે.