બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે પણ અમદાવાદ-વડોદરાની 25 ફ્લાઈટ કેન્સલ, અમદાવાદથી દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

હાલાકી / આજે પણ અમદાવાદ-વડોદરાની 25 ફ્લાઈટ કેન્સલ, અમદાવાદથી દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

Vishal Khamar

Last Updated: 09:23 AM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની હાલ કટોકટીનો સામનો કરી રહી છે. પાઈલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતના કારણે ઘણી ફ્લાઈટો રદ્દ થતા મુસાફરો અટવાયા હતા. તેમજ એરલાઈન્સના સીઈઓએ સોશિયલ મીડિયા પર મુસાફરોની માફી પણ માંગી હતી. રેલવે દ્વારા મુસાફરો માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે.

દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ પણ અનેક ફ્લાઈટ કેન્સલ થઈ છે. છે. ગઈકાલે (5 ડિસેમ્બરે) ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી પણ માંગી હતી. ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

આજે પણ ઈન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 25 ફ્લાઈટ કેન્સલ થઈ હતી. જેમાં વડોદરા એરપોર્ટ પર છ ફ્લાઈટ રદ્દ થઈ છે. જ્યાંર અમદાવાદ એરપોર્ટ પર રાત્રિના 12 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં અરાઈવલ 7 અને ડિપાર્ચર 12 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.

ફ્લાઈટ કેન્સલ થતા દિલ્હી અને અમદાવાદ વચ્ચ્ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

પશ્ચિમ રેલવે દ્વારા ફ્લાઈટ કેન્સલ થતા હવે મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે.

  • ટ્રેન નં. 09497/09498: સાબરમતીથી દિલ્હી જંક્શન, સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ટ્રિપ્સ)
  • ટ્રેન નંબર 09497 સાબરમતી-દિલ્હી સ્પેશિયલ 7 અને 9 ડિસેમ્બર 2025ના રોજ સાબરમતીથી 10:55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 3:15 વાગ્યે દિલ્હી પહોંચશે.
  • ટ્રેન નંબર 09498 દિલ્હી-સાબરમતી સ્પેશિયલ 8 અને 10 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હી જંક્શનથી 9 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
  • રસ્તામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર કોચ હશે.
  • આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કાપે છે, જેમાં મુસાફરીનો સમય આશરે 4:20 કલાક (સાબરમતી-દિલ્હી) અને 3:20 કલાક (દિલ્હી-સાબરમતી)નો છે.
  • ટ્રેન નંબર 09497 માટે બુકિંગ 6 ડિસેમ્બર 2025થી બધા PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

આ પણ વાંચોઃ ખેડૂત પર હુમલો કરનાર આરોપી ઝડપાયા, પોલીસે અસામાજિક તત્વોને ભણાવ્યો કાયદાનો પાઠ

દેશની ઓછી કિંમતવાળી એરલાઇન, ઇન્ડિગો, સતત ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ઇન્ડિગો પાઇલટ્સ માટે નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમો લાગુ કરવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. દરમિયાન, આજે 1,000 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે કંપનીના CEO એ તેમનું પહેલું નિવેદન બહાર પાડ્યું છે.

શુક્રવારે જારી કરાયેલા એક વિડીયો સંદેશમાં, ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે જણાવ્યું હતું કે એરલાઇન છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. 5 ડિસેમ્બરના રોજ કામગીરીને સૌથી વધુ અસર થઈ હતી, તે દિવસે 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું, હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે છેલ્લા કેટલાક દિવસોથી અમે ગંભીર કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. આ કટોકટીને વધારી રહ્યું છે. આજે, 5 ડિસેમ્બર, અત્યાર સુધીનો સૌથી વધુ પ્રભાવિત દિવસ રહ્યો છે. આજે, અમે 1,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જે અમારી કુલ દૈનિક ફ્લાઇટ્સના અડધાથી વધુ છે.

તેમણે કહ્યું, કૃપા કરીને રદ થયેલી ફ્લાઇટ્સ માટે એરપોર્ટ પર ન આવો. આજે સૌથી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે કારણ કે ઇન્ડિગોની સમગ્ર સિસ્ટમ રીબૂટ થઈ રહી છે. ઇન્ડિગોની કામગીરી 10 થી 15 ડિસેમ્બર વચ્ચે સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. અસુવિધા માટે અમે દિલગીર છીએ. મુસાફરોને નવીનતમ અપડેટ્સ માટે તેમની ફ્લાઇટ્સનું નિરીક્ષણ કરવા વિનંતી છે.

આ પણ વાંચોઃ VIDEO: રાષ્ટ્રપતિ કે PM મોદી નહીં, પુતિને કારમાંથી ઉતરતાની સાથે જ આ વ્યક્તિ મિલાવ્યો હાથ

સીઈઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્ડિગોએ ગંભીર ઓપરેશનલ પડકારોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ કંપની સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે શક્ય તમામ પગલાં લઈ રહી છે. તેમણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માંગતા કહ્યું, મારા બધા ઈન્ડિગો સાથીદારો વતી, હું ફ્લાઇટ વિલંબ અથવા રદ થવાથી ભારે અસુવિધા ભોગવનારા તમામ મુસાફરોની દિલથી માફી માંગુ છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

દેશભરની 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ લગાવાયા

ભારતીય રેલવેએ દેશભરમાં 37 ટ્રેનોમાં વધારાના કોચ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યાત્રાને સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત કરવામાં આવ્યા છે. જે દેશભરમાં 114થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છે. ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માગમાં વધારો થવા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Indigo Flight Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ