બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: શ્રેયસ અય્યરના સ્થાને હવે આ ખેલાડી બનશે કેપ્ટન, ઓચિંતા નિર્ણયથી ફેન્સ ચોંક્યા
Last Updated: 06:29 PM, 22 September 2025
Cricket news: એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને પછડાટ આપી ભારતીય ટીમ ચર્ચામાં છે. બીજી તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા એ ટીમો વચ્ચે બે અનઓફિશિયલ ટેસ્ટ મેચની સીરિજ રમાઈ રહી છે. પરંતુ સીરીજની બીજી મેચ પહેલા જ ભારતીય ટીમમાં મોટો બદલાવ થયો છે. શ્રેયસ ઐયરે આ મેચમાંથી પોતાનું નામ પાછુ લીધુ છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા એ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે અને ભારતીય એ ટીમ સામે બે મેચની અનઓફિશિયલ ટેસ્ટ શ્રેણી રમી રહી છે. શ્રેણીની પહેલી મેચ ડ્રો રહી. બીજી મેચ 23 સપ્ટેમ્બરથી લખનૌના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમ અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે.

ADVERTISEMENT
શું બીજી મેચ માટે ભારતીય કેપ્ટન બદલાશે?
શ્રેયસ ઐયરે ઓસ્ટ્રેલિયન એ ટીમ સામેની આ શ્રેણીમાં ભારતીય ટીમની કમાન તેના હાથમાં છે પરંતુ બીજી મેચમાં ટીમનો ભાગ રહેશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત A ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા A સામેની બીજી અન ઓફિશિયલ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / એશિયા કપમાં ફરી થશે ભારત-પાકનો મુકાબલો, બની રહ્યું છે રોમાંચક સમીકરણ
ADVERTISEMENT
પહેલી મેચ રહી ડ્રો
લખનૌમાં રમાયેલી આ શ્રેણીની પહેલી મેચ ડ્રો રહી. ઐયરે પહેલી ઇનિંગમાં માત્ર 8 રન બનાવ્યા. ઐયરની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ ધ્રુવ જુરેલ કરશે, જેણે પહેલી મેચમાં ઉપ-કપ્તાન રહ્યો છે. શ્રેયસ ઐયરની જગ્યાએ ટીમમાં કોઈ નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT
આ ખેલાડીઓનો સમાવેશ
બીજી મેચ માટે કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવશે. મોહમ્મદ સિરાજ આ મેચમાં ખલીલ અહેમદની જગ્યાએ લઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.