બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:51 PM, 22 September 2025
એશિયા કપ 2025માં સુપર ફોર તબક્કામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આ હારથી પાકિસ્તાનની ફાઇનલમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે. પરંતુ હજી પણ પાકિસ્તાન પાસે તક બાકી છે. જો પાકિસ્તાન તેની બાકીની બે મેચ જીતી જશે, તો તે ચાર પોઈન્ટ સાથે ફાઇનલની દોડમાં મજબૂત બની જશે.
ADVERTISEMENT

સુપર ફોરમાં ચારેય ટીમો ત્રણ-ત્રણ મેચ રમશે. પાકિસ્તાનને હવે શ્રીલંકા (23 સપ્ટેમ્બર) અને બાંગ્લાદેશ (25 સપ્ટેમ્બર) સામે ટકરાવવું છે. જો શ્રીલંકા સામે પાકિસ્તાન હારી જાય, તો તેનું બહાર થવું લગભગ નિશ્ચિત થઈ જશે. એટલે, પાકિસ્તાન માટે બન્ને મેચ જીતવી ફરજિયાત છે.
ADVERTISEMENT

ભારતની સ્થિતિ થોડો વધુ મજબૂત છે. ભારત પાસે પહેલેથી જ બે પોઈન્ટ છે અને સારા નેટ રન રેટ (+0.689) સાથે ટોચ પર છે. ભારતની આગામી મેચો બાંગ્લાદેશ (24 સપ્ટેમ્બર) અને શ્રીલંકા (26 સપ્ટેમ્બર) સામે છે. જો ભારત એક પણ મેચ જીતે, તો તે ફાઇનલ માટે દાવેદાર રહેશે. જો ભારત બન્ને મેચ જીતી જાય, તો ફાઇનલમાં તેનો સ્થાન નિશ્ચિત બની જશે.
ADVERTISEMENT

બીજી તરફ, બાંગ્લાદેશે સુપર ફોરની પહેલી જ મેચમાં શ્રીલંકાને હરાવીને પહેલેથી જ બે પોઈન્ટ મેળવી લીધા છે. તેનો નેટ રન રેટ +0.121 છે. શ્રીલંકા અને પાકિસ્તાન હજી સુધી પોતાના ખાતામાં પોઈન્ટ મેળવી શક્યા નથી. શ્રીલંકાનો નેટ રન રેટ -0.121 છે, જ્યારે પાકિસ્તાનનો -0.689 છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફાઇનલ શક્ય છે, પરંતુ શરત એટલી છે કે બન્ને ટીમો તેમની બાકી રહેલી તમામ મેચ જીતી જાય. જો એમ બને તો 2025ના એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ત્રીજી વખત સામસામે આવશે. પરંતુ જો કોઈ ટીમ એક મેચ હારી જાય, તો નેટ રન રેટ મોટો નિર્ણાયક તત્વ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.