બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / income tax refund taxpayers know itr filling benefits easy loan refund
Bijal Vyas
Last Updated: 11:36 AM, 20 April 2023
Income Tax: કરદાતાઓને હંમેશા સલાહ આપવામાં આવે છે કે, તેઓ સમયસર ITR ફાઇલ કરે. કારણ કે તમે જેટલી જલ્દી રિટર્ન ફાઈલ કરશો તેટલું જલ્દી તમને રિફંડ મળશે. આ સિવાય તે દંડથી પણ બચી જશે. આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા 31 જુલાઈ છે. જો કોઈ વ્યક્તિ આપેલી સમયમર્યાદા સુધી ITR ફાઈલ નહીં કરે તો તેને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
મોટાભાગના લોકો વિચારે છે કે, ITR ફાઇલિંગએ એક કાયદાકીય પ્રક્રિયા છે જેના દ્વારા આવકવેરા વિભાગ તમારી કરપાત્ર આવકની વિગતો જાળવી રાખે છે. ઉલ્લેખનીય છે કે, તેનું કામ માત્ર આવક અને ખર્ચની માહિતી આપવાનું નથી, પરંતુ ITRના બીજા ઘણા ફાયદા છે. આવો જાણીએ તેના વિશે…
10,000 સુધી લાગી શકે છે દંડ
જો તમે ફાઇલિંગને મોકૂફ રાખજો, તો દંડ 10,000 રૂપિયા સુધી જઈ શકે છે. ઉપરાંત, જો તમારી પાસે કોઈ ટેક્સ બાકી હોય અને તે સમયમર્યાદા સુધીમાં ચૂકવશો નહીં, તો પણ તમારે બાકી રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. તમારા આવકવેરા રિટર્ન સમયસર ફાઇલ કરીને આ દંડ અને વ્યાજ ચાર્જ ટાળી શકાય છે.
રિફંડનો કરી શકો છો દાવો
જો તમે આવકવેરાના દાયરામાં આવો છો, તો સમયસર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનો એક ફાયદો એ છે કે તમે રિફંડનો દાવો કરી શકો છો. જો તમે PPF અથવા કિસાન વિકાસ પત્ર જેવી યોજનાઓમાં રોકાણ કર્યું છે, તો તમે 80C હેઠળ મુક્તિનો દાવો કરી શકો છો. પરંતુ તમે રિટર્નનો દાવો ત્યારે જ કરી શકો છો જ્યારે ITR સમયસર ફાઈલ કરવામાં આવે. જો તમે સમયમર્યાદા પછી ITR ફાઇલ કરો છો, તો તમને રિફંડ નહીં મળે.
મજબૂત નાણાંકીય સ્થિતિ
તમારા આવકવેરા રિટર્ન સમયસર ફાઇલ કરવાનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે, તમારો નાણાકીય ઇતિહાસ મજબૂત છે. જેના કારણે ક્રેડિટ સ્કોર પણ સુધરે છે. નોંધનીય છે કે, કોઈપણ બેંકમાં લોન અરજી કરવા માટે સારો ક્રેડિટ સ્કોર હોવો જરૂરી છે. તે માત્ર સરળ લોન જ નહીં, પરંતુ તેના દ્વારા ઓછા વ્યાજ દરની સુવિધા પણ પૂરી પાડે છે.
ઓડિટથી બચી શકે છે
તમે સમયસર તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કરીને આવકવેરા વિભાગના ઓડિટથી પણ બચી શકો છો. જો તમે અંતિમ તારીખ પછી તમારું રિટર્ન ફાઇલ કરો છો, તો આવકવેરા વિભાગ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની સમીક્ષા કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime