હાઈકોર્ટે સરકારને કહ્યું SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફટી ન હોય તો કડક પગલા લો
ફાયર સેફ્ટી અંગે HCમાં સુનાવણી
ફાયર સેફ્ટી,BU વગરના એકમો સામે પગલા લેવા આદેશ
નિયમો બધા માટે સમાન હોવા જોઈએ
ગુજરાતમાં ફાયર સેફટી વગરના એકમો ધમધમી રહ્યા છે. સુરતમાં તક્ષશીલા અગ્નીકાંડ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના સહિત ગુજરાત હાઈકોર્ટે આ અગાઉ પણ તંત્રને લાલઆંખ દેખાડી હતી અને કહ્યું હતું કે સોગંધનામાં રજૂ કર્યા બાદ ફાયરસેફ્ટી NOC વગરના એકમો સામે કાર્યવાહી કરવા તંત્રએ કોર્ટને બાહેંધરી આપી હતી. જે બાદ આજે થયેલી સુનાવણીમાં ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે પગલા લેવા HCએ આદેશ આપ્યો છે.
લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ થશે: AG
હાઈકોર્ટે સમક્ષ ગુજરાત સરકારનો પક્ષ રાખી રહેલા એડવોકેટ જનરલે BU પરમિશન વગરના એકમો સીલ કરવાના હુકમ મુદ્દે જવાબ આપ્યો હતો અને હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે BU પરમિશન વગરના એકમો સીલ કરવાથી લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ થશે. જેથી વધુ કડક પગલાં ન લેતા જે એકમોમાં BU પરમિશન નથી તે એકમોમાં સામે પાણી,વીજ કનેકશન કટ કરવા જેવી કામગીરી ચાલુ છે. પણ જો એકમો બંધ કરવા સુધીના પગલા લેવામાં આવશે તો મોટા પાયે લોકો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના છે.
લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય: HC
રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા હાઈકોર્ટ કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવાનું અભિયાન હાથ ધરાઇ શકે છે. જણાવી દઈએ કે એવી કેટલીય સરકારી ઈમારતો અને સંકુલો છે જ્યાં ફાયર સેફટી નથી. અથવા તો હાઈકોર્ટના કડક વલણ બાદ ફાયર સેફટી લેવાઈ છે.
11 જૂને રજૂ કરેલા સોગંદનામામાં મોટો ખુલાસો થયો હતો
ગુજરાતમાં ફાયર સેફટીની અમલવારીના વિવાદ બાદ હાઈકોર્ટ સમક્ષ થયેલા સોગંદનામામાં મોટો ખુલાસો થયો હતો. સરકારી કચેરીઓની 40 ટકા ઇમારતોમાં ફાયર NOC નહીં હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. ગાંધીનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરે કરેલા સોગંદનામું કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, જૂના અને નવા સચિવાલય, પોલીસ ભવન જેવી કચેરીઓમાં જ ફાયરસેફ્ટી નથી. ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પણ NOC ન હોવાનુ સામે આવ્યું હતું. 22 સરકારી ઇમારતોમાં જ માન્ય ફાયર NOC પ્રમાણપત્ર છે. જેમાં વિધાનસભા બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલનો સમાવેશ થાય છે.
કઈ બિલ્ડિંગમાં નથી ફાયર સેફ્ટી NOC (11 જૂનના સોગંધનામાં મુજબ)