બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:59 PM, 25 November 2025
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ અને SIR પર ઘમાસાણ શરુ થયું છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને SIR પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે SIR બાદ જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે ત્યારે લોકોને ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા સર્જાયેલી આપત્તિનો ખ્યાલ આવશે. તેમને તાજેતરની બિહાર ચૂંટણીના પરિણામો અંગે પણ અનેક આરોપો લગાવ્યા છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે "જો તે બંગાળમાં મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તે સમગ્ર ભારતમાં તેમનો પાયો હચમચાવી નાખશે". તેમને એમ પણ કહ્યું કે, "બિહાર ચૂંટણીનું રીઝલ્ટ SIRનું પરિણામ છે; વિપક્ષ ત્યાં ભાજપની ચાલનો અંદાજ લગાવવામાં નિષ્ફળ ગયુ. જો SIR બે થી ત્રણ વર્ષમાં હાથ ધરવામાં આવે તો અમે શક્ય તેટલા બધા સંસાધનો સાથે પ્રક્રિયાને સમર્થન આપીશું."
ADVERTISEMENT
મમતા બેનર્જીએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, "જો SIRનો હેતુ બાંગ્લાદેશી નાગરિકોને મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે તો ચૂંટણી પંચ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ પ્રક્રિયા કેમ કરી રહ્યું છે?" તેમણે કહ્યું કે, "મને બાંગ્લાદેશ એક દેશ તરીકે ગમે છે કેમ કે અમારી ભાષા એક જ છે. હું બીરભૂમમાં જન્મી હતી એટલે નહીં તો મને પણ બાંગ્લાદેશી કહેવામાં આવત"

ADVERTISEMENT
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, "જો રોહિંગ્યા ઘુસી રહ્યા છે તો તેઓ ક્યાંથી આવે છે? સરહદનું સંચાલન કોણ કરે છે? કેન્દ્ર સરહદનું સંચાલન કરે છે. CISF એરપોર્ટનું સંચાલન કરે છે. કેન્દ્ર સરકાર કસ્ટમ વિભાગનું પણ સંચાલન કરે છે. નેપાળ સરહદની દેખભાળ કોણ કરે છે? આપણે આ (ઘૂસણખોરી) કેવી રીતે થવા દીધી? બંગાળને કબજે કરવાના પ્રયાસમાં ભાજપ આગામી ચૂંટણીઓમાં ગુજરાતમાં પણ હારી જશે."
ADVERTISEMENT
ADVERTISEMENT
બેનર્જીએ જણાવ્યું હતું કે, "મિઝોરમ, મણિપુર અને આસામમાં SIR નથી થઈ રહ્યું. બંગાળમાં આ થઈ રહ્યું છે કેમ કે, બંગાળને કબજે કરવું છે. અંગ્રેજો પણ બંગાળને કબજે કરી શક્યા નહતા".
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.