બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / How will the weather be in the India-New Zealand match? Who did PM Modi say is the leader of fools!, 2 bikers hit 11 people
Vishal Khamar
Last Updated: 11:19 PM, 17 November 2023
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રમાનાર મેચને લઈને વાતાવરણની સ્થિતિ પણ સામે આવી છે. જેમાં Accuweather ના રિપોર્ટ અનુસાર આજે મુંબઈમાં તડકો રહેશે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આમ મેચમાં વરસાદ વિધ્ન બને તેવા કોઈ સંજોગો જોવા મળતા નથી. મેચ દરમિયાન વરસાદની માત્ર સંભાવના 1 ટકા છે. આવી સ્થિતિમાં ચાહકોને સમગ્ર 100 ઓવરનો રોમાંચ જોવા મળશે.બીજી વાત એ પણ છે કે જો વરસાદ પડે તો પણ એક દિવસ રિઝર્વ ડે રખાયો હોવાથી ક્રિકેટ રસિકોને કોઈ ચિંતા નથી.
સુરતનાં પલસાણા-કડોદરા રોડ પર આવેલ રાજહંસ ટેક્ષ નામની મિલમાં ગોઝારી ઘટનાં બનવા પામી છે. મિલમાં આવેલ ટાંકી સાફ કરવા માટે ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા. ત્યારે થોડા સમય બાદ ગુંગળાઈ જતા ચારેય શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. જે બાદ આ મામલે કામરેજ ઈઆરસી ફાયર અને બારડોલી ફાયરને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડનાં જવાનો ઘટનાં સ્થળે પહોચી ટાંકામાંથી મૃતદેહ બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.
નવસારીનાં ગણદેવીનાં રહેજ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિરડી સાંઈબાબા દર્શનાર્થે જતા ભક્તોને બે બાઈક ચાલકોએ અડફેટે લીધા હતા. પગપાળા જતા 11 થી વધુ ભક્તોને ઈજાઓ થવા પામી હતી. શિરડી પગપાળા જતા પહેલા ગામમાં પાલખીયાત્રા નીકળી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક બીલીમોરા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. અકસ્માત કરનારા બાઈક ચાલકોની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટનાને લઈ ગણદેવી પોલીસે તપાસ શરૂ કરી છે.
નવા વર્ષની શરૂઆત સાથે જ મીઠાના મુવાડા હાઈવે પર અકસ્માતમાં સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બાયડ હાઈવે પર મીઠાના મુવાડા રોડ પરથી દૂઘનું ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માત સર્જાતા રોડ પરથી પસાર થઈ રહેલ વાહન ચાલકોએ તાત્કાલીક 108 ને જાણ કરતા ઈમજન્સી 108 દ્વારા ઘટનાં સ્થળે પહોંચી ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે ત્રણેય યુવકોને મૃત જાહેર કર્યા હતા.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા વર્ષની શુભકામના પાઠવી છે. સી.આર.પાટીલે કહ્યું કે, આપ સૌના માધ્યમથી સૌને શુભેચ્છા પાઠવું છું, નવા વર્ષ નવા સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. આ દરમિયાન સી.આર.પાટીલે લોકસભા ચૂંટણીને લઈ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે, અગાઉ બે વખત આપણે જીત્યા છીએ તો આ વખતે આપણે હેટ્રીક કરવાની છે.
સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી વિરૂદ્ધ અપમાનજનક ટીપ્પણી મામલે ચૂંટણી આયોગે આમ આદમી પાર્ટીને કારણ દર્શક નોટિસ પાઠવી છે. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી બે ટ્વીટ મામલે ચૂંટણી પંચે આપને આ કારણ દર્શક ફટકારી છે. ચૂંટણી આયોગે આ મામલે જણાવ્યું કે, 10 નવેમ્બર 2023ના રોજ આ મામલે ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિમંડળના વ્યક્તિએ ફરિયાદ કરી છે. આ અરજીમાં આમ આદમી પાર્ટીના એક્સ એકાઉન્ટ પર બે ટ્વીટનો ધ્યાન દોર્યું છે. એક્સ પર બે ટ્વીટ કરવામાં આવી છે જેના કારણે પ્રધાનમંત્રી મોદીની છબી ખરાબ કરવાની કોશિષ કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના બૈતુલમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. પ્રધાનમંત્રી મોદીએ તેમના સમયગાળામાં થયેલા કામોની વાતો કરતા જણાવ્યું હતું કે, તેઓ ભ્રષ્ટાચાર પર રોક લગાવવા કામ કરી રહ્યાં છે., જેના માટે તેમને વધુ અપશબ્દો સાંભળવા પડે છે તેમ પણ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા મને પાંચ ગાળો આપતા હતા હવે પંચાસ ગાળો આપે છે. પીએમ મોદીએ આ દરમિયાન રાહુલ ગાંધીના એક નિવેદન તરફ ઈશારો કરી મૂર્ખોના સરદાર કહ્યું હતું.
ભારત-કેનેડા વિવાદ વચ્ચે વધુ એક મોટી અપડેટ સામે આવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો બતાવ્યો છે. એક મોટા રાજદ્વારી પગલામાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને ધાર્મિક સ્થળો પર થતાં હુમલાઓ અટકાવવા સલાહ આપી. ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાજદ્વારીઓએ UN માનવ અધિકાર પરિષદની બેઠક દરમિયાન એક ઠરાવ પર ચર્ચા દરમિયાન કેનેડાને કેટલીક સલાહ આપી હતી.
सहाराश्री सुब्रत रॉय जी का निधन, अत्यंत दुःखद।
— Samajwadi Party (@samajwadiparty) November 14, 2023
ईश्वर उनकी आत्मा को शांति दें।
शोकाकुल परिजनों को ये असीम दुःख सहने का संबल प्राप्त हो।
भावभीनी श्रद्धांजलि ! pic.twitter.com/QO6vAjriAv
સહારા પરિવારના વડા સુબ્રત રોય લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમની મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બુધવારે તેમના પાર્થિવ દેહને લખનૌના સહારા શહેરમાં લાવવામાં આવશે, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
મહાદેવ સટ્ટાબાજી એપ કેસ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસને લઈને હંમેશા કેટલાક નવા અપડેટ આવતા રહે છે. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કેસમાં ઘણા સ્ટાર્સના નામ સામે આવી ચૂક્યા છે. હવે આ કેસમાં વધુ એક નામ જોડાયું છે. એવા અહેવાલો છે કે, હવે આ કેસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ પણ સામે આવ્યું છે અને તેની સામે FIR પણ નોંધવામાં આવી છે.
Former Pakistan cricketers Younis Khan, Mohammad Hafeez, Wahab Riaz and Sohail Tanvir called on Chairman PCB Management Committee Mr Zaka Ashraf today at Gaddafi Stadium in Lahore. pic.twitter.com/3XJykYU3nf
— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2023
વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમનું સૌથી વધુ ખરાબ અને કંગાળ પ્રદર્શન રહ્યું છે. ત્યારબાદ હવે પાકિસ્તાન ક્રિકેટમાં મોટા પાયે ઉથલપાથલ જોવા મળી રહી છે. તેવામા સમગ્ર પસંદગી સમિતિને બરખાસ્ત કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે ખરાબ પ્રદર્શનની અસરના ભાગરૂપે આ પહેલા ટીમના મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું હતું. હવે નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં યુનિસ ખાન કે મોહમ્મદ હફીઝ સૌથી આગળ આવી રહ્યા છે.
Predict the winners of the #CWC23 semi-finals and final 🏆⬇️ pic.twitter.com/thXrekcajZ
— ICC Cricket World Cup (@cricketworldcup) November 12, 2023
હાલમાં ચાલી રહેલો વર્લ્ડ કપ 2023 હવે અંત તરફ છે. હવે માત્ર બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ જ છે. આજે રમાનારી પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને ટકરાશે. આઇસીસીએ આ બંને નોકઆઉટ મેચના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો સેમિ ફાઈનલમાં કોઈ વિઘ્ન સર્જાય તો જુદા-જુદા નિયમોનો ઉપયોગ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime