બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો-જો વરસાદમાં ક્યારેય પણ ન કરતા આ 5 ભૂલ, નહીંતર ACમાં આવી શકે છે સમસ્યા
Last Updated: 04:40 PM, 29 July 2024
AC આ પ્રોડક્ટ અત્યારે મરજિયાત નહીં, પણ ફરજિયાત થઈ ગઈ છે. ACને ઉનાળામાં ચલાવવી એ નોર્મલ વાત છે. અને ચોમાસામાં રૂમની અંદર હ્યુમિડીટીનું પ્રમાણ ખૂબ વધી જવાના કારણે શરીર ચોટતું હોય તેવું થઈ જાય છે, માટે લોકો ચોમાસામાં પણ AC ચલાવતા હોય છે. ACને લાંબા સમય સુધી ચલાવવાથી બગડવાની શક્યતા વધી જાય છે, જોકે AC ખરાબ થવા પાછડનું કારણ આપણી જ બેદરકારી હોય છે. તો ચાલો જાણીએ કે કઈ ભૂલો કરવાથી ચોમાસામાં AC ખરાબ થવાની સંભાવના વધી જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો ચોમાસામાં ઉકળાટ થતો હોય છે, જો ઉકળાટ પછી વરસાદ આવે તો મઝા આવી જાય. વરસાદથી આપણને તો મઝા આવે પણ AC માટે તે નુકશાનકારક સાબિત થાય છે. મોટા ભાગના લોકો AC Unit ને ઘરની બહાર લગાવતા હોય છે, જેથી વરસાદ આવે ત્યારે તેમાં પાણી જાય છે તેથી AC બગડી જાય છે. આ સમસ્યાથી બચવા AC Unitને વૉટરપ્રૂફ કવર લગાવવું જરૂરી છે.

ADVERTISEMENT
ચોમાસું હોય અને લાઇટ ન જાય એવું કોઈ દિવસ બન્યું છે. ચોમાસામાં વરસાદને લીધે શોટ-સર્કિટ થતું હોય છે, જેથી ગમે ત્યારે અચાનક લાઈટ જતી રહે છે. લાઇટ જવાથી અચાનક AC બંધ થવાને કારણે ખરાબ થવાનો ખતરો વધે છે. આ પ્રોબલમથી બચાવા માટે AC ને ડાયરેક્ટ સ્વિચ સાથે ન લગાવવું. તેના બદલે તમે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરી શકો છો. સ્ટેબિલાઇઝર વિજળી કંટ્રોલમાં રાખે અને લાઇટની વધઘટને સંતુલિત કરે છે. જો તમે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ નથી કરતાં તો AC ખરાબ થઈ શકે છે.
ADVERTISEMENT

વધુ વાંચો: જો AC રૂમને કરી દે છે વધારે પડતો ઠંડો, તો સાચવજો, મુસીબત આવવાની છે
ADVERTISEMENT
ACને સ્વચ્છ રાખવું જરૂરી છે. ACને ચોખ્ખું ન રાખવાને કારણે તેમાં કચરો ભરાઈ જાય છે. ACમાં કચરો ભરાવાથી બગાડવાનો ચાન્સ વધી જાય છે. આ ભૂલ ન કરવી, આવામાં શક્ય હોય કરવો કે દર અઠવાડિયે AC એક વાર તો સાફ કરવું. જો શક્ય હોય તો સમયસર સર્વિસ કરાવવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.