ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / IPL News / IPLમાં વરસાદ આવવા પર કેવી રીતે નક્કી થાય મેચનું રિઝલ્ટ? જાણો BCCIનો નિયમ
Last Updated: 10:57 PM, 6 April 2026
ADVERTISEMENT
IPL 2026 ટુર્નામેન્ટનો 12મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. KKR ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ચોથી ઓવર પૂરી થાય તે પહેલાં વરસાદ આવી ગયો હતો. શું તમે IPL લીગ-સ્ટેજ મેચમાં વરસાદ પડે તો પરિણામ કેવી રીતે નક્કી થાય છે તે વિશે તમે જાણો છો? આવો તેના વિશે જાણીએ...
ADVERTISEMENT
શું છે વરસાદને લઇ નિયમ?
જ્યારે વરસાદ IPL લીગ-સ્ટેજ મેચમાં પડે છે, ત્યારે મેચ તાત્કાલિક રદ કરવામાં આવતી નથી. BCCI ના નિયમો અનુસાર, વરસાદ ઓછો થાય છે કે નહીં તે જોવા માટે રાહ જુઓ. જો વધુ પડતો સમય ખરાબ થવા પર લાગે તો ઓવરની સંખ્યા ઘટાડવામાં આવે છે. દરેક ટીમ ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ રમાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
ADVERTISEMENT

5-5 ઓવરની મેચો માટે કટ-ઓફ સમય જાહેર કરવામાં આવે છે. જો કટ-ઓફ ટાઇમ સુધીમાં બંને ઇનિંગ્સમાં 5-5 ઓવરની રમત પૂર્ણ ન થાય, તો મેચ રદ જાહેર કરવામાં આવે છે. લીગ-સ્ટેજ મેચો માટે રિઝર્વ ડેનો કોઈ નિયમ નથી; તેથી, જો કોઈ મેચ રદ કરવામાં આવે છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લખનૌની પહેલી જીત, ઋષભ પંતની શાનદાર ઇનિંગ, હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું
મોટી મુશ્કેલીમાં KKR
ADVERTISEMENT
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હર્ષિત રાણા અને આકાશ દીપને બહાર કરવામાં આવતા, ટીમના બે મુખ્ય ફાસ્ટ બોલરો હવે મેચની બહાર છે. તેમની ગેરહાજરીમાં કોલકાતા ટીમનું પેસ બોલિંગ યુનિટ સંપૂર્ણપણે ખુલ્લું પડી ગયું છે. બીજો મોટો પડકાર એ છે કે ટીમ પાસે કેટલાક શક્તિશાળી બેટ્સમેન છે, પરંતુ તેમનું વર્તમાન ફોર્મ ચિંતાનું કારણ છે. KKR હાલમાં ફક્ત બોલિંગ જ નહીં પરંતુ બેટિંગમાં પણ સંઘર્ષ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ