બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 03:33 PM, 19 August 2023
Diabetes Diet: મધુમેહ જેને ડાયાબિટીસ અને શુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બે પ્રકારના હોય છે. ટાઈપ-1 અને ટાઈપ-2, જ્યાં ટાઈપ-1 ડાયાબિટીસ આનુવંશિક છે, જ્યારે ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવાની આદતોને ટાઈપ-2 માટે જવાબદાર ગણવામાં આવે છે. ડાયાબિટીસમાં લોહીમાં શુગર લેવલ વધારે કે ઓછું હોવું સારું નથી. બંને સ્થિતિઓ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે, તેથી તેને નિયંત્રણમાં રાખવા માટે, ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ખાદ્યપદાર્થોમાં જરૂરી સાવચેતી રાખવાથી શુગર લેવલને વધતા કે ઘટતા અટકાવી શકાય છે. આ માટે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાઓ, તેમજ સંતુલિત માત્રામાં ખાઓ, ડાયાબિટીસના દર્દીઓએ બીજી એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તેઓ ખાવાના સમયના અંતર રાખો.
ડાયાબિટીસ દર્દીઓને કેટલા સમયના અંતરે ખાવુ જોઇએ ?
સાચી રીતએ છે કે, દર બે કલાકના અંતરે કંઈક હળવું ખાવાનું રાખો, પરંતુ જો કોઈ કારણોસર તમે આ નિયમનું પાલન ન કરી શકતા હોય તો દિવસમાં ઓછામાં ઓછા ચાર વખત (સવાર-સાંજનો નાસ્તો અને લંચ અને રાતનું ભોજન) ખાવાનો પ્રયત્ન કરો.
ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં ખાસ કરીને પ્રોટીન અને ફેટથી ભરપુર વસ્તુને સામેલ કરો અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. તમે તેને આ રીતે બેલેન્સ કરી શકો છો. બ્રેકફાસ્ટ તંદુરસ્ત હોવો જોઈએ અને તેમાં મર્યાદિત કાર્બોહાઈડ્રેટ્સ હોવા જોઈએ. લંચ અને ડિનરમાં પ્રોટીનયુક્ત વસ્તુઓ લો. આ ડાયાબિટીસનું મેનેજ કરવુ સરળ બનશે.
ધ્યાન રાખો
જો તમે દિવસમાં ઘણી વખત ખાઓ છો, તો તમારા ખોરાકની માત્રાનું ધ્યાન રાખવું પડશે. એક સાથે વધુ ખાવાને બદલે ઓછું ખાઓ. આ માટે મોટી પ્લેટને બદલે નાની પ્લેટનો ઉપયોગ કરો. દરરોજ એક જ સમયે ખાવાનો પણ પ્રયત્ન કરો. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime