ફેમસ સિંગર આશા ભોંસલેનું રવિવાર 12 એપ્રિલના રોજ અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમને રવિવારે બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને શનિવારે સાંજે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. આશા ભોંસલે 90 વર્ષની ઉંમર સુધી ગાવાનું ચાલુ રાખ્યું. તેમને 10,000 થી વધુ સોંગ રેકોર્ડ કર્યા હતા.
- મોતનું કારણ
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ. પ્રતીત સમદાનીએ જણાવ્યું હતું કે આશા ભોંસલેને ઘણી મેડીકલ સમસ્યાઓ હતી અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું હતું.
- અંતિમ દર્શન ક્યારે?
આશા ભોંસલેના પરિવારે જણાવ્યું કે અંતિમ સંસ્કારનો સમય અને સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં લોકો સોમવારે સવારે 11 વાગ્યે લોઅર પરેલ પર આવેલા તેમના નિવાસસ્થાન, કાસા ગ્રાન્ડે ખાતે અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે. સોમવારે સાંજે 4 વાગ્યે દાદરના ઐતિહાસિક શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
- પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
આશા ભોંસલેના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, "ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને વર્સેટાઈલ અવાજોમાંની એક આશા ભોંસલેજીના અવસાનથી મને ખૂબ જ દુઃખ થયું છે. દાયકાઓ સુધી ચાલેલી તેમની અસાધારણ સંગીત યાત્રાએ આપણા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો અને વિશ્વભરના સેંકડો હૃદયોને સ્પર્શી લીધા હતા. જેમાં તેમના ભાવનાત્મક સૂર હોય કે તેમની જુસ્સાદાર રચનાઓ તેમનો અવાજ હંમેશા અજોડ રહ્યો છે. હું હંમેશા તેમની સાથેની મારી મુલાકાતોની યાદોને યાદ રાખીશ. તેમના પરિવાર, ફેંસ અને સંગીત પ્રેમીઓ પ્રત્યે મારી સંવેદનાછે. તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે અને તેમના સોંગ હંમેશા લોકોના જીવનમાં ગુંજતા રહેશે."
- કરિયર
આશા ભોંસલેએ તેમના કરિયરમાં 20 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ સોંગ ગાયા હતા. તેમના ગીતો "ઇન આંખો કી મસ્તી," "દમ મારો દમ," "પિયા તુ અબ તો આજા," અને "ચુરા લિયા હૈ તુમને" આજે પણ ફેમસ છે. તેઓ જે સંગીતનો વારસો છોડી ગયા છે તે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતો રહેશે. તેમને પદ્મ વિભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ