બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આશા ભોસલેનું અવસાન કેવી રીતે થયું? ક્યારે થશે અંતિમ સંસ્કાર, મોટું અપડેટ

બોલિવૂડ / આશા ભોસલેનું અવસાન કેવી રીતે થયું? ક્યારે થશે અંતિમ સંસ્કાર, મોટું અપડેટ

Nirav Kumar

Last Updated: 04:37 PM, 12 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આશા ભોંસલેનું આજે 12 એપ્રિલના રોજ 92 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમને ગઈકાલ શનિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અવસાન પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે.

ફેમસ સિંગર આશા ભોંસલેનું રવિવાર 12 એપ્રિલના રોજ અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમને રવિવારે બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને શનિવારે સાંજે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. આશા ભોંસલે 90 વર્ષની ઉંમર સુધી ગાવાનું ચાલુ રાખ્યું. તેમને 10,000 થી વધુ સોંગ રેકોર્ડ કર્યા હતા.

  • મોતનું કારણ
    બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ. પ્રતીત સમદાનીએ  જણાવ્યું હતું કે આશા ભોંસલેને ઘણી મેડીકલ સમસ્યાઓ હતી અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું હતું.
  • અંતિમ દર્શન ક્યારે?
    આશા ભોંસલેના પરિવારે જણાવ્યું કે અંતિમ સંસ્કારનો સમય અને સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં લોકો સોમવારે સવારે 11 વાગ્યે લોઅર પરેલ પર આવેલા તેમના નિવાસસ્થાન, કાસા ગ્રાન્ડે ખાતે અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે. સોમવારે સાંજે 4 વાગ્યે દાદરના ઐતિહાસિક શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

  • પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
    આશા ભોંસલેના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, "ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને વર્સેટાઈલ અવાજોમાંની એક આશા ભોંસલેજીના અવસાનથી મને ખૂબ જ દુઃખ થયું છે. દાયકાઓ સુધી ચાલેલી તેમની અસાધારણ સંગીત યાત્રાએ આપણા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો અને વિશ્વભરના સેંકડો હૃદયોને સ્પર્શી લીધા હતા. જેમાં તેમના ભાવનાત્મક સૂર હોય કે તેમની જુસ્સાદાર રચનાઓ તેમનો અવાજ હંમેશા અજોડ રહ્યો છે. હું હંમેશા તેમની સાથેની મારી મુલાકાતોની યાદોને યાદ રાખીશ. તેમના પરિવાર, ફેંસ અને સંગીત પ્રેમીઓ પ્રત્યે મારી સંવેદનાછે. તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે અને તેમના સોંગ હંમેશા લોકોના જીવનમાં ગુંજતા રહેશે."

વધુ વાંચો : પોતાની પાછળ આટલી સંપત્તિ છોડતા ગયા આશા ભોસલે, સિંગિંગ નહીં આ બિઝનેસમાંથી પણ કમાણી

  • કરિયર
    આશા ભોંસલેએ તેમના કરિયરમાં 20 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ સોંગ ગાયા હતા. તેમના ગીતો "ઇન આંખો કી મસ્તી," "દમ મારો દમ," "પિયા તુ અબ તો આજા," અને "ચુરા લિયા હૈ તુમને" આજે પણ ફેમસ છે. તેઓ જે સંગીતનો વારસો છોડી ગયા છે તે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતો રહેશે. તેમને પદ્મ વિભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhosle Passed Away Asha Bhosle Asha Bhosle Funeral
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ