બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'શું પાકિસ્તાનમાં જઇને ગરબા રમવાના..હેં..?' ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કેમ આવું બોલ્યા
Last Updated: 08:56 AM, 4 October 2024
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી એમાં અમુક લોકોને પેટમાં દુઃખવા લાગ્યું છે. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવાની વ્યવસ્થા કર હતી. તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી હતી કે, સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ ઉજવી. તેમજ ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમી ઘરે જાય ત્યારે એક પણ હોટેલ બંધ નહીં હોય.
ADVERTISEMENT
ઓચિંતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્વાગત હું શા શા કરું!
— Harsh Sanghavi (@sanghaviharsh) October 3, 2024
માઁ આદ્યશક્તિને પોંખવાનું પર્વ એટલે આસોની નવરાત્રી અને ગરબા, જેના ઉમંગ અને ઉત્સાહમાં શામેલ થવાનું સૌભાગ્ય મળ્યું હતું. ગાંધીનગર ખાતે વિવિધ સ્થળોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી તથા આયોજનના વિવિધ સ્થળોએ મુલાકાત લીધી… pic.twitter.com/C0kMpAd60k
ADVERTISEMENT
GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ નો પ્રારંભ
ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે.
અમદાવાદ ખાતે આજે વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ – 2024 નું ઉદ્ઘાટન કર્યું. દર વર્ષની જેમ, મોદીજીના નેતૃત્વમાં શરૂ થયેલો આ ઉત્સવ દેવી ભગવતીની આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિનું જીવંત માધ્યમ બનવા જઈ રહ્યો છે. ગુજરાતની લોક સંસ્કૃતિને પ્રદર્શિત કરતો આ મહોત્સવ વિશ્વના… pic.twitter.com/kkRtradraD
— Amit Shah (@AmitShah) October 3, 2024
આ પેવેલીયનમાં તા. ૩ થી ૧૩ ઓક્ટોબર સુધી ૨૨ સ્ટોલ્સ બનાવાશે. આ સ્ટોલમાં રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે. આ પેવેલિયન રાજ્યભરના સ્વયં સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી અનોખી કળા અને હસ્તકલા દર્શાવશે. આ મંચ દ્વારા ગ્રામીણ મહિલાઓને કલામાં રસ ધરાવતા લોકોની સાથે રુબરુ થવા ઉપરાંત તેમને આજીવિકા મેળવવા માટેની તક મળશે તેમ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવાયું હતું.
गरबा और गुजरात विश्व भर में एक दूसरे के पर्याय बन चुके हैं। नवरात्रि के पावन अवसर पर अहमदाबाद के मकरबा, नारणपुरा और जोधपुर वॉर्ड में आयोजित रास-गरबा महोत्सव में शामिल हुआ।
— Amit Shah (@AmitShah) October 3, 2024
સમગ્ર વિશ્વમાં ગરબા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. નવરાત્રીના પાવન અવસર પર અમદાવાદના મકરબા,… pic.twitter.com/FyzTAeTiow
ફોટોબૂથ પણ બનાવાયું
હસ્તકલા અને વિવિધ માળખા સાથે પારંપારિક કાપડની સજાવટ સાથે આ પેવેલિયનમાં ગુજરાત રાજ્યની કલાકૃતિઓનું પ્રદર્શન કરાશે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવા પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન પણ મુકાઈ છે. બ્રાન્ડિંગ માટે પેવેલિયનમાં બે ફોટો કોર્નર્સ બનાવાયા છે, જ્યાં મુલાકાતીઓ યાદગાર ક્ષણો કેદ કરી શકશે. સરસ મેળાની ઓળખ "I Love Saras" ફોટોબૂથ પણ બનાવાયું છે.
Shri @AmitShah, Hon’ble Union Minister of Home Affairs and Cooperation, inaugurated Vibrant Navratri 2024 in the distinguished presence of Shri Bhupendrabhai Patel, Hon’ble Chief Minister of Gujarat, Shri Mulubhai Bera, Hon’ble Minister of Tourism and other Hon’ble dignitaries.… pic.twitter.com/V4abavCckB
— Gujarat Tourism (@GujaratTourism) October 3, 2024
પેવેલીયનમાં બે ટચ સ્ક્રીન કિઓસ્ક દ્વારા મુલાકાતીઓને વિવિધ ઉત્પાદનો અને સખી મંડળો તેમજ તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અંગેની માહિતી મેળવી શકશે. આ પેવિલિયન હસ્તકલા અને સ્થાપત્યો સાથે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિ અને હસ્તકલા ઉદ્યોગોને પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત ગુજરાતના સખી મંડળો થકી ઉત્પાદીત વસ્તુઓનો ડિજિટલ કેટલોગનું લોકાર્પણ કરાયું હતું.
વધુ વાંચોઃ નવરાત્રીના બીજા દિવસે ક્યાં ક્યાં વરસાદી કમઠાણ? આગાહી આ વિસ્તારો માટે ટેન્શનવાળી
વાયબ્રન્ટ નવરાત્રીમાં દરરોજ ૩૦ થી ૪૦ હજાર લોકો મુલાકાત કરે છે જેથી આ મહિલાઓને સારું માર્કેટ મળશે જે ભારતની વૈવિધ્યસભર કારીગર હિરિટેજને જાળવી રાખવામાં મદદરૂપ બનશે. આ સરસ મેળાનું થીમ પેવિલિયનએ ગુજરાતની ઉત્ક્રુષ્ઠ કલા વારસાની ઉજવણી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની હસ્તકલા વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.