બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'શું પાકિસ્તાનમાં જઇને ગરબા રમવાના..હેં..?' ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કેમ આવું બોલ્યા

નવરાત્રી 2024 / 'શું પાકિસ્તાનમાં જઇને ગરબા રમવાના..હેં..?' ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કેમ આવું બોલ્યા

Last Updated: 08:56 AM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવલા નોરતાનો ગુરૂવારથી પ્રારંભ થઈ ગયો છે. ત્યાર આ વર્ષે નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે. મોડે સુધી નવરાત્રીનાં આયોજન અંગે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી એમાં અમુક લોકોને પેટમાં દુઃખવા લાગ્યું છે. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવાની વ્યવસ્થા કર હતી. તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી હતી કે, સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ ઉજવી. તેમજ ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમી ઘરે જાય ત્યારે એક પણ હોટેલ બંધ નહીં હોય.

GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ નો પ્રારંભ

ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે.

આ પેવેલીયનમાં તા. ૩ થી ૧૩ ઓક્ટોબર સુધી ૨૨ સ્ટોલ્સ બનાવાશે. આ સ્ટોલમાં રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે. આ પેવેલિયન રાજ્યભરના સ્વયં સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી અનોખી કળા અને હસ્તકલા દર્શાવશે. આ મંચ દ્વારા ગ્રામીણ મહિલાઓને કલામાં રસ ધરાવતા લોકોની સાથે રુબરુ થવા ઉપરાંત તેમને આજીવિકા મેળવવા માટેની તક મળશે તેમ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવાયું હતું.

ફોટોબૂથ પણ બનાવાયું

હસ્તકલા અને વિવિધ માળખા સાથે પારંપારિક કાપડની સજાવટ સાથે આ પેવેલિયનમાં ગુજરાત રાજ્યની કલાકૃતિઓનું પ્રદર્શન કરાશે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવા પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન પણ મુકાઈ છે. બ્રાન્ડિંગ માટે પેવેલિયનમાં બે ફોટો કોર્નર્સ બનાવાયા છે, જ્યાં મુલાકાતીઓ યાદગાર ક્ષણો કેદ કરી શકશે. સરસ મેળાની ઓળખ "I Love Saras" ફોટોબૂથ પણ બનાવાયું છે.

પેવેલીયનમાં બે ટચ સ્ક્રીન કિઓસ્ક દ્વારા મુલાકાતીઓને વિવિધ ઉત્પાદનો અને સખી મંડળો તેમજ તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અંગેની માહિતી મેળવી શકશે. આ પેવિલિયન હસ્તકલા અને સ્થાપત્યો સાથે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિ અને હસ્તકલા ઉદ્યોગોને પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત ગુજરાતના સખી મંડળો થકી ઉત્પાદીત વસ્તુઓનો ડિજિટલ કેટલોગનું લોકાર્પણ કરાયું હતું.

વધુ વાંચોઃ નવરાત્રીના બીજા દિવસે ક્યાં ક્યાં વરસાદી કમઠાણ? આગાહી આ વિસ્તારો માટે ટેન્શનવાળી

વાયબ્રન્ટ નવરાત્રીમાં દરરોજ ૩૦ થી ૪૦ હજાર લોકો મુલાકાત કરે છે જેથી આ મહિલાઓને સારું માર્કેટ મળશે જે ભારતની વૈવિધ્યસભર કારીગર હિરિટેજને જાળવી રાખવામાં મદદરૂપ બનશે. આ સરસ મેળાનું થીમ પેવિલિયનએ ગુજરાતની ઉત્ક્રુષ્ઠ કલા વારસાની ઉજવણી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની હસ્તકલા વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shardiya Navratri 2024 Navratri 2024 Navratri news in gujarati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ