બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:47 AM, 31 May 2026
હિમાચલ પ્રદેશના ખૂબ જ દુર્ગમ અને બરફીલા વિસ્તારમાં થયેલા કાર અકસ્માતની જાણ પોલીસને બીજા દિવસે સાંજે થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ખરાબ હવામાન અને મુશ્કેલ ભૂગોળને કારણે રાત્રે બચાવ કામગીરી શરૂ કરી શકાયી નહોતી.
ADVERTISEMENT
અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓ બેંગલુરુથી ફરવા આવ્યા હતા. તેમણે ડલહૌજીમાં ફરવા માટે ટેક્સી ભાડે લીધી હતી. ત્યાં જ બીજા એક પ્રવાસી પરિવાર સાથે ટેક્સી શેર કરીને તેઓ બરફાચ્છાદિત સચ પાસ જોવા નીકળ્યા હતા.
ADVERTISEMENT
કારમાં ડ્રાઇવર સહિત કુલ 9 લોકો સવાર હતા, જેમાં બે બાળકો પણ સામેલ હતા. મૃતકોમાં ડ્રાઇવર વિશ્વાસ, અરવિંદ ચંદ્રાકર, તેમની પત્ની પ્રાચી અને તેમના બે પુત્ર દર્શ (8 વર્ષ) અને અક્ષાદ (11 વર્ષ), તેમજ પી.જી. કાર્તિકેયન, તેમની પત્ની મણિમાલા અને પુત્ર નંદનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
અકસ્માત શુક્રવારે મોડી રાત્રે થયો હતો. કાર બૈરાગઢ પોલીસ ચેકપોસ્ટ પસાર કરીને પાંગી ઘાટીને જોડતા બરફીલા સચ પાસ તરફ જઈ રહી હતી. અકસ્માતની માહિતી મળતી વખતે અંધારું થઈ ગયું હતું. દુર્ગમ વિસ્તાર, ખડકાળ રસ્તા અને ઘન અંધકારને કારણે રાત્રે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી શકાયું નહોતું. તેથી આજે સવારે પોલીસ, પ્રશાસન અને સ્થાનિક લોકો મળીને બચાવ કામગીરી શરૂ કરશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિલ્હી-મુંબઈને હચમચાવવાની ફિરાકમાં દાઉદ, ISI સાથે જોડાયેલા 9 શંકાસ્પદની ધરપકડ
ADVERTISEMENT
સ્થાનિક બૈરાગઢ સમિતિએ લોકોને માનવતાના ધોરણે મદદ કરવા અપીલ કરી છે. આજે સવારે 8 વાગ્યે લોકો ઘટનાસ્થળે ભેગા થશે અને દોરડાની મદદથી હ્યુમન ચેઇન બનાવી ઊંડી ખાઈમાં ઉતરી મૃતદેહોને બહાર કાઢવામાં પોલીસ અને પ્રશાસનને સહયોગ આપશે.
ADVERTISEMENT
તીસા અને બૈરાગઢ પોલીસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઇવરને ઊંઘની ઝપકી આવી હોઈ શકે છે. ઉપરાંત રસ્તા પર જમેલા બરફને કારણે કાર લપસી ગઈ હોય અથવા વાહનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા કાર ખાઈમાં પડી ગઈ હોય તેવી પણ શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.