બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:05 AM, 12 May 2025
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીપાકમાં ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકમાં ખેડૂતોને મોટા નુકસાનનો અંદાજ છે. માવઠાના લીધે કેરીના પાકમાં 50% નુકસાનની શક્યતા છે પપૈયામાં 20% અને કેળામાં 15% નુકસાનનો અંદાજ છે.. તલમાં 40% અને ડાંગરમાં 15% નુકસાન થયાનો અંદાજ છે. વરસાદ બંધ થતા નુકસાનીનો સર્વે શરૂ કરાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT

જૂનાગઢમાં 3 દિવસ પડેલા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. તલ, મગ, અડદ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે કેશોદ,માંગરોળ, માણાવદર, તેમજ ગીર વિસ્તાર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.. લાખો રૂપિયા ખર્ચ કરી ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર કર્યું હતું...જો કે અચાનક પડેલા કમોસમી વરસાદને ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે...ત્યારે ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીનો સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દેશના 30 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું જોર, તો ઓડિશા-પશ્ચિમ બંગાળમાં હિટવેવનું એલર્ટ
કેસર કેરીનું હબ મનાતા ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં માવઠાએ કેરીના પાકને ગંભીર અસર કરી છે.. ભારે પવન ફૂંકાતા સેંકડો આંબાઓ પરથી કેરી ખરી પડી છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે,,,, ગ્લોબલ વોર્મિંગના કારણે આંબાઓ પર કેરીનું ફ્લાવરિંગ બગડી જતા આ વર્ષે કેરીનું માંડ 50 ટકા જ ઉત્પાદન થયું છે,,, અને હવે આંબાઓ પર રહેલી કેરીઓ પણ ખરી પડતા બગાયતી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.