બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પાણીમાં માત્ર એક ચપટી મીઠું નાખીને પીવો, પછી જુઓ શરીરને થાય છે કેવાં ફાયદા?

લાઈફસ્ટાઈલ / પાણીમાં માત્ર એક ચપટી મીઠું નાખીને પીવો, પછી જુઓ શરીરને થાય છે કેવાં ફાયદા?

Last Updated: 01:16 PM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજનમાં વપરાતું ચપટી જો તમે પાણીમાં નાખી પીવો તો તમને કેટલા સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે. આજે તેના ફાયદા વિશે વાત કરીશું.

શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવા માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવુ જોઈએ. તેનાથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ. દરરોજ સવારે ખાલી પેટે હુંફાળું પાણી પીવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે, પરંતુ શું તમે જાણો છો, જો તેમાં એક ચપટી મીઠું નાખીને પીવામાં આવે તો તે અનેક રોગો માટે રામબાણ ઈલાજ માફક કામ કરે છે.

મોટાભાગે આપણે મીઠાનો ઉપયોગ ફક્ત ભોજનનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે એક ચપટી મીઠાવાળું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોઈ શકે છે? આયુર્વેદમાં પણ મીઠાનું પાણી પીવાના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. તે શરીરને ડિટોક્સિફાઇ કરે છે. પાચનતંત્ર મજબૂત બને છે. જો યોગ્ય માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે. આજે અમે તમને મીઠાનું પાણી પીવાના ફાયદા જણાવશું.

  • શરીરને હાઇડ્રેટેડ રાખે
    જ્યારે આપણે ફક્ત સાદું પાણી પીએ છીએ, ત્યારે ક્યારેક શરીરને યોગ્ય માત્રામાં ખનિજો મળતા નથી. જો તેમાં થોડું મીઠું નાખીને પીવામાં આવે તો તે શરીરને હાઇડ્રેટ રાખે છે. તેનાથી ત્વચા પણ ચમકતી બને છે.
  • પાચનતંત્રમાં સુધારો

મીઠાનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે. તે ખોરાકને ઝડપથી અને સારી રીતે પચાવવામાં પણ મદદ કરે છે. મીઠાનું પાણી ગેસ, કબજિયાત અને અપચો જેવી પેટની સમસ્યાઓમાં પણ રાહત આપવાનું કામ કરે છે.

  • કરે છે શરીરને ડિટોક્સિફાય
    મીઠાવાળું પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળે છે. તે લીવર અને કિડનીને પણ સ્વચ્છ રાખે છે. સાથે તે આપણા આખા શરીરને સ્વસ્થ બનાવે છે.
  • હાડકાં માટે પણ ફાયદાકારક
    સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે મીઠાનું પાણી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. તેમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાના સ્વાસ્થ્યમાં સુધારે કરે છે. જો તમે નિયમિતપણે મીઠું ભેળવેલું પાણી પીઓ છો તો તે તમારા સ્નાયુઓને હેલ્થી રાખે છે.

વધુ વાંચો : આંખે ધૂંધળું દેખાય છે! તો જાણો કયા-કયા વિટામિન્સની હોઇ શકે છે ઉણપ, અપનાવો આ ઉપાય

  • ત્વચા માટે પણ મહત્વનું

મીઠાનું પાણી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. મીઠાનું પાણી પીવાથી તમે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી પણ બચી શકો છો. તે ત્વચાને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. તેને પીવાથી ખીલ, સોરાયસિસ અને એક્ઝિમાના લક્ષણો ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salt Drinking Water Salted Water
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ