બ્રેકિંગ ન્યુઝ
Hanuman Jayanti 2024: આજે એટલે કે મંગળવાર 23 એપ્રિલે હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે. દર વર્ષે ચૈત્ર મહિનાનાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વાત કરીએ નડિયાદમાં આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી ચમત્કારી મંદિર વિશે કે જયાં તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર લોકોની આસ્થા, વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે.
ADVERTISEMENT
આ મંદિર વિશે એવું કહેવાય છે કે અહીં તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલું આ ચમત્કારિક ભીડભંજન હનુમાનજીદાદાના મંદિરમાં ભક્તો પોતાના દુઃખ ભગવાન સામે વ્યક્ત કરે છે અને ભગવાન ભકતોનું દુઃખ દૂર કરે છે. બાળકો ન થતા હોય તેવા દંપતિ, નાણાકીય સંકટ કે આવી અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવા ભક્તો સુખડી ધરાવવાની માનતા રાખે છે અને દર શનિવારે ભક્તો હનુમાનજીને સુખડીનો પ્રસાદ ધરાવે છે. નડિયાદ બસ સ્ટેન્ડ નજીક આવેલા રત્ન તળાવ પાસે ઝાડી વિસ્તારમાં વટવૃક્ષ નીચે આજથી 139 વર્ષ પહેલા ચમત્કારી મૂર્તિએ લોકોને દર્શન આપ્યા હતા અને ધીમે ધીમે આ મૂર્તિના દર્શન કરનાર ભક્તોના કામો શ્રધ્ધાથી પૂર્ણ થવા લાગ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: જ્યાં અકબરથી લઇને ઓબામાને પણ દાદાએ પરચા આપેલા, એ છે આ પાંડવોએ સ્થાપેલ પ્રાચીન હનુમાન મંદિર
ભીડભંજન હનુમાનજીનું આ અનોખું મંદિર છે. મંદિરમાં દાદાની મુખ્ય મૂર્તિને તેલ ચઢાવવામાં નથી આવતું. હનુમાનજીની નાની મૂર્તિમાં તેલ ચઢાવવામાં આવે છે. મુખ્ય ધાર્મિક તહેવારો સાથે હનુમાન જયંતિ, રામનવમી, દિવાળી, કાળી ચૌદસ અને હોળી સહિતના મોટા તહેવારોમાં વિશેષ કરવામાં આવે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.