મહારાષ્ટ્રમાંથી વેદાંતાનો 20 અબજનો પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યા બાદ આદિત્ય ઠાકરેએ શિદે સરકાર પર પ્રહાર કર્યા છે.
આદિત્ય ઠાકરેનો શિંદે સરકાર પર હુ્મલો
વેદાંતાના 20 અબજની ડીલની રેસમાં મહારાષ્ટ્ર પણ સામેલ હતું
શિવસેના દાયકાઓથી મરાઠી માનુસ વિરુધ્ધ ભેદભાવની ફરિયાદો ઉઠાવે છે
મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ ઉધ્ધવ ઠાકરેએ ફરી સત્તા હાંસલ કરવા માટે કોઈ મુદ્દાની તલાશમાં હતી. જે મુદ્દો હવે તેમને મળી ગયો છે. ત્યારે યુવા નેતા આદિત્ય ઠાકરે પોતે તે મુદ્દાને લઈને શિદે સરકાર પર હુમલો કર્યો છે. જેમાં આદિત્ય ઠાકરેએ શિદે સરકાર પર દગો આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
મંગળવારે તાઈવાનની કંપની ફોક્સકોન સાથે વેદાંતા દ્વારા ગુજરાતમાં 20 અબજ ડોલરની રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર રેસમાં સામેલ હતું. ત્યારે મહારાષ્ટ્રના લાગતું હતું કે તે રેસમાં છે. ત્યારે હવે એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે એક મોકો ખોઈ નાખ્યો છે અને પ્રધાનમંત્રીના ગૃહરાજ્યમાં જવા દેવાનો આરોપ લગાવ્યો છે.
ગુજરાત સરકારનું કહેવું છે કે આદિત્ય ઠાકરે અને ઉધ્ધવ સેનાં જે પ્રમાણેનો આરોપ લગાવી ભેદભાવનો આક્ષેપ કરી રહી છે. શિવસેના દાયકાઓથી મરાઠી માનુસ વિરુધ્ધ ભેદભાવની ફરિયાદો ઉઠાવી રહી છે.
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિદેને વડાપ્રધાને ખાત્રી આપી
ગુજરાત સરકારે કહ્યું છે કે, એકનાથ શિંદેને વડાપ્રધાને ખાત્રી આપી છે કે "મહારાષ્ટ્રને ટૂંક સમયમાં એક મોટો પ્રોજેક્ટ આપવામાં આવશે... " વડાપ્રધાને ગુજરાત સરકારના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ટાટા નેનો પ્રોજેક્ટને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં સ્થાનાંતરિત કર્યો હતો, કારણ કે આ પ્રોજેક્ટનો મમતા બેનર્જીએ વિરોધ કર્યો હતો.