બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / કામ વિના બહાર ન નીકળતા! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર
Last Updated: 04:32 PM, 23 April 2026
ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉચકાઇ રહ્યો છે જેને લઇ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોચી ગયું છે. 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોધાયુ છે. હવામાન વિભાગ પ્રમાણે તાપમાનમાં આગામી દિવસોમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.
ADVERTISEMENT
રાજ્યમાં આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 7 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. તાપમાન 43 ડિગ્રીને પાર થવાની સંભાવના છે.
અમદાવાદ-ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર થયુ છે. બુધવારે અમદાવાદમાં 40.8, અમરેલીમાં 40.7, સુરેન્દ્રનગરમાં 40.5, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, સુરતમાં 39.8, વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, કાળઝાળ ગરમીથી રાજ્યના અનેક શહેરોમાં હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીથી રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાત / ભરૂચના ઝઘડિયાની GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા
ADVERTISEMENT
હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેર માટે સાત દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. 26મી તારીખે 43 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.