બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તળાવમાં નહાવા ગયેલ 7 કિશોરો પૈકી 3નું ડૂબી જતાં મોત, પરિજનો સહિત પંથકમાં શોક
Last Updated: 10:17 AM, 12 December 2025
Daman Antiyava Lake : દમણથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એક તળાવમાં ડૂબી જવાથી 4 બાળકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ દમણના આંટિયાવાડ તળાવમાં 7 કિશોરો નહાવા ગયા હતા. જોકે આ 7માંથી 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. આ તરફ ફાયર ટીમ દ્વારા આ 3 કિશોરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિજનો સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વલસાડ જિલ્લાની નજીક આવેલ સંઘ પ્રદેશ દમણના આંટિયાવાડ તળાવમાં ગઇકાલે સાંજે 7 જેટલા કિશોરો નહાવા પડ્યા હતા. જોકે આપણે ત્યાં કહેવત છે ને કે "ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું" તેની જેમ આ 7 પૈકી અત્યાર સુધી 3 બાળકોના મોત થયાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય એક બાળકને સ્થાનિકોએ બચાવી લીધો હોવાનું પણ ખૂલ્યું છે.
ADVERTISEMENT

પોલીસ અને ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યા
ADVERTISEMENT
આ તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે હાલ સુધી મળતી માહિતી મુજબ 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે.
ADVERTISEMENT
7 ડૂબ્યાં અને 3 બહાર આવ્યા અને પછી...
મળતી માહિતી પ્રમાણે દમણના આંટિયાવાડ તળાવમાં ન્હાવા પડેલા 7 કિશોરોમાંથી 4 કિશોરો અચાનક ડૂબવા લાગ્યા હતા. જોકે આ 7માંથી 3 બાળકોએ બહાર આવી અને મદદ માટે બૂમાબૂમ કરી મુકી હતી. જે બાદમાં તળાવમાં રહેલ એક બાળકને બચાવી લેવાયો તો અન્ય ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ 3 કિશોરોના દુ:ખદ મોતને લઈ તેમના પરિજનોને માથે જાણે આભ ફાટી પડ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.