બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના બિલ્ડરની ખરી શ્રદ્ધાંજલિ, શહીદ પરિવારને કરી 21,00,000ની મદદ
Surat News: ગુજરાતનો પુત્ર દેશની રક્ષા કાજે શહીદ થયો, જે બાદ વીર જવાનની અંતિમ વિધિ પોતાના માદરે વતન અમરેલીમાં કરવામાં આવી. શહીદના પરિવારનું આક્રંદ જોઈને સુરતના બિલ્ડર હ્રદય જ દ્રવી ઉઠ્યું અને તેઓએ 21 લાખની મદદ કરીને ખરા અર્થમાં શ્રદ્ધાંજિલ આપી હતી.
ADVERTISEMENT
સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડે 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં 'ઓપરેશન મહાદેવ'માં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત મેહુલ ભુવા (ભરવાડ) ફરજ દરમ્યાન શહીદ થયા હતા. બે દિવસ બાદ એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ શહીદના અંતિમ સંસ્કાર વતનમાં જ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
અંતિમ સંસ્કારનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો હતો, જેમાં શહીદ જવાનના પત્ની અને દીકરાને રડતો જોઈને સુરતના બિલ્ડર ભાવુક થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક સુરતથી કારનો કાફલો લઈ મદદ માટે શહીદ પરિવારના વતન દોડી ગયા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
બાળકના શિક્ષણ અને ભવિષ્ય માટે તાત્કાલિક ગાડીઓના કાફલા સાથે ગામે પહોંચીને બિલ્ડરે 21,00,000 રૂપિયાની સહાય કરીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો. એક રીતે જોઈએ વિજયભાઈ ભરવાડે તો શહીદને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી.
વધુ વાંચો : હવે સંગઠનના માળખામાં મોટા ફેરફારની શક્યતા, જૂના જોગીઓ ફાવી જાય તો નવાઇ નહીં!
ADVERTISEMENT
સુરત: બિલ્ડર વિજય ભરવાડે શહીદના દીકરાને 21 લાખ રૂપિયાની મદદ કરી, મેહુલ ભુવા ઓપરેશન મહાદેવમાં થયા હતા શહીદ#Surat #VijayBharwad #MartyrsSon #OperationMahadev #MehulBhuva #Inspiration #Humanity #ProudMoment #GujaratNews #VTVDigital pic.twitter.com/SAFKlWvuXt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 8, 2025
ADVERTISEMENT
આ અંગે બિલ્ડર વિજયભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, 'જે જવાન દેશ માટે શહીદ થયો તેના બાળકો નિરાધાર કેવી રીતે રહી શકે. શહીદના બાળકો અને તેની ફેમિલોનો વિચાર આવતા તેની જવાબદારી લીધી. અમારી ટીમે નક્કી કર્યું અને પછી શહીદના પરિવારને 21 લાખ રુપિયાની સહાય કરી હતી.'
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.