બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘાટલોડીયામાં 'સરદાર@150 યુનિટી માર્ચ' યોજાઈ
Last Updated: 08:41 PM, 17 November 2025
150th Birth Anniversary of Sardar Patel : અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું. આ માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિકરૂપ તરીકે યોજાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાને પોતાના મત વિસ્તારમાંથી આંબલી ખાતેથી ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું.
ADVERTISEMENT
આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ યોજવામાં આવ્યો છે. આ યુનિટી માર્ચ દ્વારા જન જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ પ્રસારીત કરવાનો ઉદ્દેશ છે. રાજ્યવ્યાપી યુનિટી માર્ચ 9 નવેમ્બરે જૂનાગઢથી શરૂ થયુ હતું અને વિધાનસભા વિસ્તાર વાઈઝ આયોજન હેઠળ આજે ઘાટલોડીયાથી પ્રસ્થાન કરાવાયું.
રાષ્ટ્રીય એકતાના ભાવને જન-જન સુધી પહોંચાડી સરદાર સાહેબ પ્રત્યે ભાવવંદના વ્યક્ત કરતી 'યુનિટી માર્ચ'ની એક ઝલક.#Sardar150#UnityMarch pic.twitter.com/J7LadRwT7V
— CMO Gujarat (@CMOGuj) November 17, 2025
ADVERTISEMENT
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે 562 રજવાડાઓના વિલીનીકરણ દ્વારા એક અખંડ ભારતનું નિર્માણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એકતાના મંત્રને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વરૂપમાં સાકાર કર્યું છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370 દૂર કરીને કટક થી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી એક ભારત બનાવ્યું છે.

ADVERTISEMENT
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનો વિકાસ અને પ્રગતિનો માર્ગ ઝડપી રહ્યો છે. તેમણે ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું કે, સરદાર સાહેબને યાદ રાખીને સ્વદેશી અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવું આવશ્યક છે. યુનિટી માર્ચમાં જોડાયેલા બધા સામૂહિક રીતે સ્વદેશી અપનાવવાના અને ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવાના શપથ લીધા.
આ પણ વાંચો : અમિત શાહ બનશે ભાવનગરનાં મહેમાન, ભાવનગરનાં કમલમનું લોકાર્પણ કરશે
ADVERTISEMENT
આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કર્યું. રાજકીય નેતાઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ મહાનગરના અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયેલી આ યુનિટી માર્ચ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં દેશના દરેક નાગરિકને રાષ્ટ્રીય એકતા અને સ્વદેશીનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.